નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં કહ્યું કે, 'સરકાર રિયલ ટાઇમ પાન/ટૈન પ્રોસેસિંગ સેન્ટર (RTPC) બનાવવા પર વિચાર કરી રહેલ છે.' આ સાથે જ તેઓએ કહ્યું કે, 'સરકારે આયકર વિભાગને વધારે મજબૂત કરવાના ઇરાદાથી ટેક્નોલોજી સુધાર માટે અનેક વધારે પ્રસ્તાવની શરૂઆત કરી છે. આયકર વિભાગ હાલનાં દિવસોમાં રિયલ ટાઇમ બેસિસ પર ઇ-પાન રજૂ કરવા માટે એક પ્રોસેસિંગ સેન્ટર પર કામ કરી રહેલ છે.
આયકર વિભાગ (Income Tax Department) હાલનાં દિવસોમાં રિયલ ટાઇમ બેસિસ પર ઇ-પાન (pan card) રજૂ કરવા માટે એક પ્રોસેસિંગ સેન્ટર પર કામ કરી રહેલ છે. આ અંતર્ગત લોકોને ખૂબ ફાયદો થશે કેમ કે હવે તેઓએ માત્ર 10 મિનીટમાં જ આધાર બેઝ ઇ-કેવાઇસીને આધારે ઇ-પાન મળી જશે. આનાંથી આવેદકોનો વધારાનો સમય બચી જશે.
નાણાં રાજ્ય મંત્રીએ આપ્યું નિવેદનઃ
આ સંદર્ભમાં નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં કહ્યું કે, 'સરકાર રિયલ ટાઇમ પાન/ટૈન પ્રોસેસિંગ સેન્ટર (RTPC) બનાવવા પર વિચાર કરી રહેલ છે.' આ સાથે જ તેઓએ કહ્યું કે, 'સરકારે આયકર વિભાગને વધારે મજબૂત કરવાના ઇરાદાથી ટેક્નોલોજી સુધાર માટે અનેક વધારે પ્રસ્તાવની શરૂઆત કરી છે. જે અંતર્ગત વિભાગ પાન હાંસલ કરવામાં લાગનારા સમયને ઓછો કરવા માટે એક રિયલ ટાઇમ પાન-ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર (TAN) સેન્ટર પર કામ કરી રહેલ છે.
શું છે ટૈન અને પાન?
આ સુવિધા ખાસ રીતે તે આવેદકોને માટે લાવવામાં આવી રહેલ છે. જેઓએ આધાર બેઝ ઇ-કેવાઇસીને આધારે આવેદન કર્યુ છે. તમને જણાવી દઇએ કે ટૈન 10 સંખ્યાનો અલ્ફાન્યૂમેરિક નંબર હોય છે. આની આવશ્યકતા કરદાતાઓને ટેક્સની ચૂકવણી કરવા સમયે જરૂરિયાત પડે છે. બીજી બાજુ પાન કાર્ડને સ્થાયી ખાતા સંખ્યા કહેવામાં આવે છે, જે આર્થિક લેણદેણ માટે ખૂબ જરૂરી થાય છે. આમાં પણ 10 અંક હોય છે, જો કે આયકર વિભાગ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.