મોટાભાગના ઘરોમાં નાનકડુ મંદિર અથવા પૂજા ઘર હોય છે. ઘરમાં મંદિરનું હોવુ આખા વાતાવરણને સકારાત્મક બનાવે છે અને તેને લઈને અમુક વાતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
મંદિરને લઈને આ વાતોનું રાખો ધ્યાન
ઘરના મંદિરમાં ન મુકો આ વસ્તુઓ
નહીં તો ભોગવવી પડશે ગરીબી અને મુશ્કેલીઓ
મોટા ભાગના ઘરોમાં ભગવાનની પૂજા કરવા માટે મંદિર હોય છે. ઘરના આ મંદિરમાં હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા કરવાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જેમાં ઘરના મંદિરનું નિર્માણ, તેની જાળવણી, પૂજાની રીત વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ઘરમાં મંદિર અથવા પૂજા સ્થળની હાજરી સમગ્ર વાતાવરણને સકારાત્મક બનાવે છે. પરંતુ પૂજા ઘરને લગતી ભૂલો ઘરમાં ગરીબી અને અશાંતિ લાવે છે.
આ છે ઘરના મંદિર સાથે જોડાયેલા જરૂરી નિયમ
ઘરના મંદિરમાં સામાન્ય રીતે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી માટે અહીં મોટી મુર્તિઓ ન રાખવી જોઈએ. એટલે કે મંદિરમાં શિવલિંગ મુકો છો તો તેનો આકાર પુખ્ત વયના વ્યક્તિના અંગુઠાથી મોટો ન હોવો જોઈએ.
આવી જ રીતે પૂજા ઘરમાં જો ગણેશની એકથી વધારે મુર્તિ મુકી રહ્યા છો તો તેમની સંખ્યા 3 ન હોવી જોઈએ.
મંદિરમાં ક્યારેય પણ ખંડિત મૂર્તિઓ ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.
મંદિરમાં જો શંખ મુકવામાં આવે છે તો તેની સંખ્યા પણ એક જ હોવી જોઈએ. જો એકથી વધારે શંખ મુકેલા છે તો તેને તત્કાલ કોઈ પવિત્ર નદીમાં પધરાવી દો.
ભગવાનને હંમેશા તાજા ફૂલ જ ચઢાવો. જમીન પર પડેલા ફૂલ પણ ભગવાનને અર્પિત ન કરવા જોઈએ. ફક્ત તુલસીના પત્ના જ 11 દિવસ સુધી વાસી નથી માનવામાં આવતા. માટે તેના પત્તા પર દરરોજ જળ છાંટીને તમે ભગવાનને અર્પિત કરી શકો છો.
જો ઘરમાં મંદિર છે તો તેની સાફ-સફાઈનુ ખાસ ધ્યાન રાખો. મંદિરમાં ગંદકી જીવનમાં કોઈ મુશ્કેલીનું કારણ બની શકે છે.
આરતી કરતી વખતે દિવોમાં એટલું ઘી જરૂર રાખો કે પૂજાની વચ્ચે દિવો બંધ ન થઈ જાય.