જો તમારા ઘરમાં પૈસાની આવક છે પરંતુ જો તે ખોટી જગ્યાએ ખર્ચ થઇ રહ્યા છે તો બની શકે છે તમને કોઇ વાસ્તુદોષ નડી રહ્યો છે. ખોટી વસ્તુઓ ખરીદવાથી કે તેમની ઉપર પૈસા ખર્ચ કરવાથી રાહુ-કેતુ અને ચંદ્રનો દોષ પેદા થાય છે. જે લોકોને હંમેશાં ગરીબ અને નિરાશ બનાવીને રાખે છે.
પૂજાઘરમાં કચરો:
જે ઘરમાં પૂજા સ્થાનની આસપાસ સાવરણી કે કચરો રાખવામાં આવે છે તે સ્થાને હંમેશા તંગહાલી બની રહે છે. આવા ઘરમાં લક્ષ્મીજી ક્યારેય નિવાસ નથી કરતાં.
ધન રાખવાનું સ્થાન:
ઘરની તે જગ્યા જ્યાં ધન રાખવામાં આવે છે તે સાફ હોવી જોઇએ. ધન રાખવાનાં સ્થાને હંમેશાં સારી સુગંધ બની રહે અને તે સ્થાન ઉત્તર દિશામાં હોય તો આવા ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી.
તૂટેલાં વાસણ:
ઘરમાં જો તૂટેલાં વાસણને સંભાળીને રાખવામાં આવે અથવા તેનો ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં ક્યારેય પૈસા ટકતાં નથી.
પલંગ અવ્યવસ્થિત રાખવો:
ઘરમાં પલંગ અવ્યવસ્થિત રાખવાથી પમ ઘરની બરકત દૂર થાય છે અને નિરાશા તથા ક્લેશનો જન્મ થાય છે માટે ઘરમાં પલંગને હંમેશા સાફ રાખવો જોઇએ.
નળથી ટપકતું પાણી:
ઘરના નળનું ખરાબ થવું તેમાંથી પાણી ટપકવું તે સાધારણ વાત છે. પરંતુ આ સ્થિતિ આર્થિક નુકસાન દર્શાવે છે. જો ઘરના નળમાંથી પાણી વહેતું રહે છે ત્યાં પૈસા ક્યારેય ટકતા નથી.
બિનજરૂરી વસ્તુઓ:
થોડી વસ્તુઓ જ્યારે લાંબા સમય માટે એક જગ્યાએ પડી રહે છે તો તે વસ્તુઓ નકારાત્મક ઉર્જાને જન્મ આપે છે માટે ઘરમાં કોઇ પણ જગ્યાએ કચરો કે બિનજરૂરી વસ્તુઓ પડી હોય તો તેણે તરતથી દૂર કરવી જોઇએ.