જો તમે ઘરનું ઘર લેવા જઈ રહ્યાં છો તો પીએમ આવાસ યોજના હેઠળ લોનમાં છૂટ મેળવી શકો છો, પરંતુ તેના માટે સમય રહેતા એપ્લાય કરવું પડશે. જો તમે લોન ચૂકવ્યા બાદ આ છૂટ મેળવવા માંગશો તો પછી તમને આ સુવિધા નહીં મળે. એટલું જ જો તમે ફરી કોઈ ઘર ખરીદશો તો પણ તમને આ યોજનાનો લાભ મળશે નહીં. કારણ કે પીએમ યોજનનો લાભ એવા લોકોને જ મળે છે જેઓ પોતાનું પહેલું ઘર ખરીદી રહ્યાં હોય. એવામાં તમારે તમારું પહેલું ઘર ખરીદતા પહેલાં પીએમ આવાસ યોજના માટે દસ્તાવેજો પૂરા કરવા જરૂરી છે અને તેના આધારે જ લોનમાં રાહત મળશે.
આવા લોકોને બીજા ઘર પર પણ મળશે છૂટ
આ સિવાય જો તમારી પાસે પહેલાંથી જ ઘર છે, પરંતુ તે તમારા નામે નથી તો પણ તમે નવા ઘરની ખરીદી પર પીએમ આવાસ યોજના હેઠળ લોનમાં સબ્સિડી મેળવી શકો છો. જો ઘર તમારા માતા પિતાના નામે છે અને તમારા લગ્ન થઈ ગયા છે અને પછી તમે નવું ઘર ખરીદો છો તો પણ તમને આ યોજનાનો લાભ મળી શકે છે. આ સ્કીમમાં પરિવારમાં પતિ-પત્ની અને અપરિણિત બાળકોને સામેલ કરવામાં આવ્યાં છે.
પહેલાં લાભ લીધો હશે તો નહીં મળે છૂટ
આ સિવાય જો તમે પહેલાં કોઈ સરકારી આવાસ યોજનનો લાભ લીધો હશે તો તમને છૂટ નહીં મળે. આ યોજનાનો કોઈ ફરી લાભ ન લઈ શકે તે માટે જ સરકારે લોનની અરજી વખતે પરિવારના સભ્યોનો આધાર નંબર આપવો ફરજિયાત રાખ્યું છે.
કઈ રીતે થાય છે કેલ્ક્યુલેશન
માની લો કે તમે MIG-|| સ્લેમાં છો અને 60 સાખ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. તેના માટે તમારે 20 ટકા એટલે કે 12 લાખ ડાઉનપેમેન્ટ આપવું પડશે, જેથી તમારે કુલ 48 લાખ રૂપિયા લોન લેવી પડશે. હવે તમને 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3 ટકા છૂટ મળે છે. આ રીતે તમારે માત્ર 36 લાખની લોન પર પૂરું ઈન્ટરસ્ટ આપવું પડશે. બાકીના 12 લાખ રૂપિયામાં 3 ટકા છૂટ મળશે.