ખૂબ જ મહત્વપૂર્ણ કામ માટે મુસાફરી કરવી હોય અને તેની પાસે કન્ફર્મ ટ્રેનની ટિકિટ ન હોય તો આવી સ્થિતિમાં રેલવેના નિયમો અનુસાર તે વ્યક્તિ પ્લેટફોર્મ ટિકિટની મદદથી મુસાફરી કરી શકે છે.
કન્ફર્મ ટ્રેનની ટિકિટ વિના પણ મુસાફરી કરી શકાય છે
કન્ફર્મ ટ્રેન ટિકિટ વિના કેવી રીતે મુસાફરી કરવી?
TTEને કારણ અને મુસાફરીની સંપૂર્ણ વિગતો જણાવવી પડશે
રેલ્વે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે અને આ કારણોસર રેલ્વે સમયાંતરે કે કોઈ તહેવાર પર સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાથી લઈને બીજી ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આ સાથે જ સમયાંતરે રેલ્વે તેના નિયમોમાં પણ ઘણા ફેરફાર કરતી રહે છે. ભારતીય રેલ્વેના કેટલાક નિયમો પહેલાથી જ અસ્તિત્વમાં છે પણ પૂરતી માહિતીના અભાવે ઘણા મુસાફરો એ નિયમોનો લાભ લઈ શકતા નથી. આજે એવા જ એક ભારતીય રેલ્વે નિયમ વિશે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ. જ્યારે પણ લાંબી મુસાફરી અને સરળ મુસાફરીની વાત આવે છે, ત્યારે લગભગ દરેક ભારતીયને ભારતીય ટ્રેનમાં મુસાફરી કરવાની ઇચ્છા હોય છે. આટલું જ નહીં ટ્રેનમાં ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે આરામદાયક સીટ, ખાવા-પીવાની સુવિધા અને ટોયલેટની સુવિધા પણ લોકોને પસંદ આવી રહી છે.
જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરવા માંગો છો, તમારે ટ્રેનની ટિકિટ બુક કરવી પડે છે પણ ઘણી વખત એવું બને છે કે ક્યારેક કોઈ મુસાફરને અચાનક મુસાફરી કરવી પડે છે અને એવા સમયે તેની પાસે કન્ફર્મ ટ્રેનની ટિકિટ હોતી નથી. આ કારણે તે મુસાફરી કરી શકતો નથી, પણ કદાચ તમે રેલવેના આવા નિયમ વિશે નહીં જાણતા હોય. જણાવી દઈએ કે એ નિયમ અનુસાર યાત્રી રિઝર્વેશન ટિકિટ વિના પણ મુસાફરી કરી શકે છે.
કન્ફર્મ ટ્રેન ટિકિટ વિના કેવી રીતે મુસાફરી કરવી?
હંમેશા લોકો તેમની ટ્રેનની ટિકિટ અગાઉથી બુક કરાવી લે છે કારણ કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ લાગે છે. પણ જો કોઈને ખૂબ જ મહત્વપૂર્ણ કામ માટે મુસાફરી કરવી હોય અને તેની પાસે કન્ફર્મ ટ્રેનની ટિકિટ ન હોય તો આવી સ્થિતિમાં રેલવેના નિયમો અનુસાર તે વ્યક્તિ પ્લેટફોર્મ ટિકિટની મદદથી મુસાફરી કરી શકે છે. ચાલો જાણીએ કઈ રીતે..
આવી પરિસ્થિતમાં મુસાફરી કરવા માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી પડશે, અને તેની સાથે ટ્રેનમાં ચડવું પડશે આ પછી, તમારે ટ્રેનમાં હાજર TTEને મળવું પડશે અને તેમને તમારા અચાનક મુસાફરી કરવા માટેનું કારણ અને મુસાફરીની સંપૂર્ણ વિગતો જણાવવી પડશે.
આ પછી TTE તમને જ્યાં સુધી મુસાફરી કરવાની હોય ત્યાં સુધીની ટ્રેન ટિકિટ આપે છે. આ માટે તમારે માત્ર 250 રૂપિયાની પેનલ્ટી સાથે સંપૂર્ણ ભાડું ચૂકવવું પડશે. જણાવી દઈએ કે આ પછી તમે રિઝર્વેશન સીટની ગેરહાજરીમાં પણ મુસાફરી કરી શકો છો.
આ સિવાય જો ટ્રેનમાં કોઈ સીટ ખાલી હોય તો ટીટીઈ એ સીટ પણ તમને આપી શકે છે. આ રીતે તમે આરામથી મુસાફરી કરી શકો. આ સિવાય તમે ટીટીઈને સીટ માટે સામેથી પણ પૂછી શકો છો કારણ કે ઘણી વખત ટ્રેનમાં ઘણી સીટો ખાલી હોય છે અને તેના વિશે માત્ર ટીટીઈને જ ખબર હોય છે.