જો હવે તમારી કન્ફર્મ રેલ ટિકિટ હોવા છતા કોઈ સંજોગોના કારણે પ્રવાસ નથી કરી શકતા તો તે ટિકિટને કોઈ બીજના નામે ટ્રાન્સફર કરી શકશો. જુદા જુદા અનેક ઓનલાઇન પ્લેટફોર્મ પર રેલવેના પગલા વિશે જાણાકારી દેવામાં આવી છે.
1990માં જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સ અને 1997 તથા 2002માં કરવામાં આવેલા સુધારા મુજબ કોઇપણ વ્યકિત પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ પર પોતે પ્રવાસ નથી કરી શકતો તો પરિવારના અન્ય સભ્યોના નામ પર ટિકિટ ટ્રાન્સફર કરી શકે છે તેમાં તે વ્યકિતના માતા-પિતા ભાઇ-બહેન પતિ-પત્ની કે બાળકોના નામે ટિકિટ ટ્રાન્સફર કરી શકે છે.
આ રીતે ટ્રેનની ટિકિટ ટ્રાન્સફર:
પોતાની ટિકિટ પરિવારના બીજા સભ્યના નામ પર ટ્રાન્સફર કરવા માટે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા એક એપ્લિકેશન આપવાની રહેશે આ નિયમ મુજબ ટિકિટ કોઇપણ સરકારી કર્મચારીને ટ્રાન્સફર કરી શકાય છે જે ડ્યૂટી પર પ્રવાસ કરી રહ્યો હોય.
જો તમે લગ્નમાં જવા માટે ગ્રુપ બુકિંગ કરાવ્યું છે અને છેલ્લા સમયે તમારા પ્લાનમાં ચેન્જ આવે છે તો તમે તમારી ટિકિટ આ લગ્નમાં જતા કોઈપણ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી શકો છો. બસ ફક્ત એટલું જ કે આ પહેલા ગ્રુપ બુકિંગ કરાવનાર ગ્રુપ હેડ તરફથી 24 કલાક પહેલા એક અરજી કરવી જરૂરી છે.