સામાન્ય બજેટ બનાવવાની પ્રક્રિયામાં સહભાગી કરવા માટે નાણા મંત્રાલય છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના નાગરિકો પાસેથી સૂચનો મંગાવે છે. ચાલુ વર્ષે પણ નાણામંત્રાલયે બજેટ માટે થઇને નાગરિકો પાસથી નવા વિચારો તથા સૂચનો મંગાવ્યા છે. આપને જણાવી દઇએ કે, સામાન્ય બજેટ 5 જૂલાઇ 2019 સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકોને લોકશાહીની આ પ્રક્રીયાનો ભાગ બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, નાગરિકોને પોતાના સૂચનો mygov.in વેબસાઈટ પર સીધુ કોમેન્ટ બોક્સ અથવા PDF ડોક્યુમેન્ટ તરીકે અટેચ કરી મોકલી શકે છે.
નાગરિકોને સૂચન મોકલવાની અંતિમ તારીખ 20 જૂન, 2019 છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો નાણા મંત્રી નિર્મલા સિતારમણે પોતાના આઈડિયા અને સલાહ આપી રહ્યા છે તેવી વાત કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, શુભેચ્છા સંદેશ સાથે નાણા મંત્રીને તેમના ટ્વીટર પર બજેટ 2019, વિનિવેશ, નવા અર્થતાંત્રિક સુધારા જેવા મુદ્દે વિચારો મોકલી રહ્યા છે. નાણા મંત્રીએ સોશિયલ મીડિયા અને પ્રિન્ટ દ્રારા તમામ વિચારો અને સૂચનો માટે સ્કોલર્સ અને ઈકોનોમિસ્ટનો આભાર વ્યક્ત કર્યો છે.
નોંધનીય છે કે, 4 જૂલાઇ, 2019ના રોજ ઇકોનોમિક સર્વે પણ જાહેર કરવામાં આવશે. જ્યારે 2019-2020 વર્ષનું બજેટ આગામી 5 જૂલાઇના રોજ રજૂ કરવામાં આવશે. 20 જૂનના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવાના છે. આપને જણાવી દઇએ કે, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાદ બજેટ રજૂ કરનાર સીતારમણ બીજા મહિલા નાણામંત્રી છે.