આજથી 31 માર્ચ સુધી દેશમાં પેસેન્જર ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. જોકે પુરવઠો સમયસર પહોંચાડવા માટે માલગાડી ચાલું રહેશે.ત્યારે ભારતીય રેલવેની રોજની 13,523 રેલ ગાડીઓ ચાલે છે. જેમાં લગભગ 2 કરોડ 25 લાખ પ્રવાસીઓ મુસાફરી કરી છે. આ રદ્દ થયેલી ટ્રેનનું રિફંડ 3 દિવસમાં મેળવવાની સમય મર્યાદા વધારીને 3 મહિના કરી દેવામાં આવી છે.
21 જૂન 2020 સુધી લઈ શકો છો રિફંડ
31 માર્ચ રાતના 12 વાગ્યા પછી તમામ ટ્રેનોની સેવા બંધ
રેલમાં રોજના 2 કરોડ 25 લાખ મુસાફરો પ્રવાસ કરે છે
भारतीय रेलवे: ट्रेन रद्द होने की स्थिति में काउंटरों पर रिफंड की समय सीमा मौजूदा 3 दिनों से बढ़ाकर 3 महीने कर दी गई है। जल्दबाज़ी करने की ज़रूरत नहीं। #कोरोना वायरस
રેલવે બોર્ડનું કહેવું છે કે માલગાડીઓ ચાલતી રહેશે. દેશમાં જરુરી વસ્તુઓનો પુરવઠો મોકલવા માટે આ સુવિધા ચાલુ રાખવામાં આવી છે. રદ્દ કરવામાં આવેલી ટ્રેનોમાં જે મુસાફરોએ બુકિગ કરાવી હતી તે 21 જૂન 2020 સુધી પોતાના પૈસા રિફંડ મેળવી શકે છે. તેમનું રિફંડ આપવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. જેથી તેમને કોઈ તકલીફ ન પડે. રિફંડ મેળવવાનો સમય 3 દિવસથી વધારી 3 મહિના કરી દેવામાં આવ્યો છે.
31 માર્ચ રાતના 12 વાગ્યા પછી તમામ ટ્રેનોની સેવા શરુ
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને રેલવેની તમામ ટ્રેનો 31 માર્ચ રાતના 12 વગ્યા સુધી રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ અને કોલકત્તા વગેરે શહેરોમાં મેટ્રો સેવાઓ પણ બંધ રાખવામાં આવશે. 31 માર્ચ રાતના 12 વાગ્યા પછી તમામ ટ્રેનોની સેવા શરુ કરવામાં આવશે.
ભારતીય રેલમાં રોજના 2 કરોડ 25 લાખ મુસાફરો પ્રવાસ કરે છે
દેશમાં સૌથી મોટી પરિવહન સેવા આપતી ભારતીય રેલવેમાં રોજના લાખો પ્રવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે તે માટે રોજની 13, 523 ટ્રેનો દોડે છે. જેમાં મહાનગરો માટે ઉપનગરીય સેવાઓ તરીકે 5881 ઈએમયૂ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત 3695 મેલ એક્સપ્રેસ, 3947 સામાન્ય પેસેન્જર ટ્રેન તથા મિક્સ ટ્રેન રોજનો દેશભરનો પ્રવાસ કરાવે છે. ભારતીય રેલમાં રોજના 2 કરોડ 25 લાખ મુસાફરો પ્રવાસ કરે છે.