ભારતમાં આમ તો ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ છે જેમાંથી ૮૯ ટકા ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે તેમ છતાં હજુ એવા કેટલાક વિસ્તારો છે જ્યાં પોસ્ટ ઓફિસની સેવા ઉપલબ્ધ નથી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ઇન્ડિયા પોસ્ટ હવે લોકોને પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી ખોલવાની અને આવક કરવાની તક આપે છે.
હવે તમે માત્ર રૂ. ૫ ૦૦૦માં પોતાના ઘરે મિની પોસ્ટ ઓફિસ ખોલી શકશો. પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી લેવા માટે રૂ. ૫ ૦૦૦ની મિનીમમ સિક્યોરિટી ડિપોઝિટ આપવી પડશે. ફ્રેન્ચાઇઝી દ્વારા ગ્રાહકોને સ્ટેમ્પ સ્ટેશનરી સ્પીડ પોસ્ટ આર્ટિકલ મનીઓર્ડરનું બુકિંગ જેવી સુવિધા મળશે.
આ સુવિધા એક નિર્ધારિત કમિશન સાથે ફ્રેન્ચાઇઝી લેનારને રેગ્યુલર ઇન્કમનું માધ્યમ બનશે. ઇન્ડિયા પોસ્ટ ફ્રેન્ચાઇઝી સ્કીમનો લાભ ઓછા ભણેલા ગણેલા લોકો પણ લઇ શકશે. આ માટે ઇન્ડિયા પોસ્ટે ફ્રેન્ચાઇઝી લેવા માટે મિનિમમ શૈક્ષણિક લાયકાત ધો. ૮ પાસની નક્કી કરી છે.
કોઇ પણ વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂશન ઓર્ગેનાઇઝેશન અથવા કોર્નર શોપ પાનવાળા કરિયાળાવાળા સ્ટેશનરીની દુકાન નાના દુકાનદારો જેવી અન્ય એન્ટીટિઝ પણ પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી લઇ શકે છે.
આ ઉપરાંત નવી શરૂ થનારી અર્બન ટાઉનશિપ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નવા ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર કોલેજ પોલિટેકનિક યુનિવર્સિટી વગેરે પણ ફ્રેન્ચાઇઝી લઇ શકે છે.
ફ્રેન્ચાઇઝી લેનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જોઇએ. પોસ્ટ ઓફિસ કર્મચારીના પરિવારના સભ્યો જે ડિવિઝનમાં કામ કરતા હોય તે ડિવિઝનમાં ફ્રેન્ચાઇઝી લઇ શકશે નહીં. ફ્રેન્ચાઇઝી માટે અરજી કર્યાના ૧૪ દિવસની અંદર સંબંધિત ડિવિઝનલ હેડના રિપોર્ટ બાદ ફ્રેન્ચાઇઝી મળી જશે.