જો તમારી પાસે 2000 રૂપિયા અથવા 200 રૂપિયાની નવી નોટ છે તો એને ખૂબ જ સંભાળીને રાખજો. જો આ નોટ ગંદી થશે કે ફાટેલી હશે તો તમે એને બેંકના કાઉન્ટરથી એક્સચેન્જ કરી શકશો નહીં. મળતી માહિતી અનુસાર નોટબંધી બાદ જારી થયેલી નવી નોટોને બદલવાનો નવો નિયમ જારી થયો નથી. કપાયેલી ફાટેલી અને ખાબ નોટ રિઝર્વ બેંકની આરબીઆઇ એક્ટના સેક્શન 28 હેઠળ આવે છે. આ એક્ટમાં 5 10 50 100 500 1000 5000 અને 10 000 રૂપિયાની નોટનો ઉલ્લેખ છે પરંતુ 200 અને 2000ની નોટનો કોઇ ઉલ્લેખ નથી.
2000 રૂપિયાની નોટ 8 નવેમ્બર 2016ની નોટબંધી બાદ જારી થઇ હતી અને 200ની નોટ ગત વર્ષે ઓગસ્ટમાં જારી થઇ હતી. આર્થિક બાબતોના સચિવએ તાજેતરમાં જ કહ્યું હતું કે 2000ની 6.70 લાખ કરોડ રૂપિયાની નોટ સર્કુલેશનમાં છે અને રિઝર્વ બેંકે એને છાપવાનું બંધ કરી દીધું છે.
બેંકર્સ પ્રમાણે નવી સીરિઝમાં હાલમાં વધારે સમસ્યા નથી. જો કે નિયમ બદલવામાં આવશે નહીં તો આગળ જઇને સમસ્યા થઇ શકે છે. રિઝર્વ બેંકે આ નિયમમાં સંશોધન માટે 2017માં નાણા મંત્રાલયને પત્ર લખ્યો હતો. જો કે હજુ સુધી સરકાર તરફથી કોઇ જવાબ આવ્યો નથી. આ ફેરફાર રિઝર્વ બેંકના સેક્શન 28માં થશે. રિઝર્વ બેંકે આ બાદ માન્યું કે નવી સીરિઝની નોટ બેંકમાં બદલી શકાશે નહીં.
રિઝર્વ બેંકે જણાવ્યું કે RBIની નોટ રિફંડ નિયમ 2009 હેઠળ મહાત્મા ગાંધી સીરિઝની નવી નોટ હાલના નિયમો હેઠળ એક્સચેન્જ કરી શકાશે નહીં.
હાલમાં એ સ્પષ્ટ નથી કે સરકારે આ નિયમમાં કેમ ફેરફાર કર્યો નથી. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સરકાર આ જરૂરી ફેફાર કરવા પર ધ્યાન આપી રહી છે. જે ફેરફારની જરૂરીયાત હશે એ બદલાવ સરકાર કરશે.