સરકારી યોજનાઓનો લાભ ઊઠાવવા માટે આધારની સાથે સાથે પાન કાર્ડનું હોવું પણ ખૂબ જ જરૂરી છે. પાન કાર્ડ નહીં હોવા પર તમે ઘણી સરકારી યોજનાઓથી વંચિત રહી શકો થો રોકડ લેણદેણમાં સરકારે પાન કાર્ડને ફરજીયાત કરી દીધું છે. આ સાથે જો તમે કોઇ વાહન ખરીદવા ઇચ્છો છો તો પાન કાર્ડ જમા કરાયા વગર તમે એને ઘરે લઇ જઇ શકશો નહીં. એવામાં જરૂરી છે કે તમને એ વાતની ખબર હોવી જોઇએ પાન કાર્ડ ક્યાં ક્યાં જરૂરી છે.
જો તમે 2.5 લાખ રૂપિયાથી વધારેની લેણદેણ કરી રહ્યા છો તો તમારી પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે.
તમે કોઇ બાઇક કાર અથવા કોઇ પણ વ્હીકલ ખરીદવા ઇચ્છો છો તો પાન કાર્ડની જરૂર પડે છે.
જો તમારા બિઝનેસનું ટર્નઓવર 5 લાખથી વધારેનું છે તો પાન કાર્ડ ખૂબ જરૂરી છે.
10 લાખ રૂપિયાથી વધારેની કોઇ પણ અચળ સંપત્તિને ખરીદવા વેચવામાં પાન કાર્ડ હોવું જરૂરી છે.
જો તમે બે લાખથી વધારે કિંમતનો સામાન જેમ કે જ્વેલરી ખરીદો છો તો પણ તમારે પાન કાર્ડ દેખાડવું પડે છે.
બેંક અકાઉન્ટ ખોલાવવા માટે પણ પાન કાર્ડ હોવું જરૂરી છે.
જો તમે કોઇના અકાઉન્ટમાં 50 હજારથી વધારે જમા કરો છો તો પણ પાન નંબર જરૂરી છે.
તમે 50 હજારથી વધારે લાઇફ ઇન્સ્યોરન્સ લેવા ઇચ્છો છો તો પણ પાન કાર્ડ જરૂરી છે.
સરકારે મ્યૂચ્યુઅલ ફંડ બોન્ડમાં રોકાણ માટે પાન કાર્ડ ફરજીયાત કરી દીધું છે.
જો તમે શેર ખરીદો છો અને એની કિંમત 1 લાખથી વધારે છે તો પાન જરૂરી છે.