ઘણા રેલવેનાં નિયમો એવા હોય છે જે બહુ ઓછા લોકો એ વિશે જાણતા હોય છે. રેલવેનો આવો જ એક નિયમ છે જેમાં તમે ટ્રાવેલની તારીખ બદલાય તો પણ તમારે ટીકીટ કેન્સલ નહીં કરવી પડે
તારીખ બદલવા પર હવે ટ્રેનમાં ટીકીટ નહિ કરવી પડે કેન્સલ
તારીખ બદલવાની સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન બંને
ડેસ્ટિનેશન સ્ટેશનમાં પણ ફેરફાર કરી શકો છો તમે
રેલ્વે મુસાફરી માટે હવે બદલાવી શકશો તારીખ
ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સતત પ્રયાસો કરી રહી છે. એટલા માટે જ લાખો મુસાફરો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ઘણી વખત તમે ટ્રીપ માટે ટીકિટ મહિના પહેલા બુક કરાવી લો છો. ઘણી વખત છેલ્લા દિવસના અંતે તમારી યોજના બદલાઈ જાય છે અને તમારે જ્યાં જવાનું હતું, ત્યાં તે દિવસનાં બદલે આગળ કે પાછળનાં દિવશે જવાનું થયું એટલે કે મુસાફરીની તારીખમાં ફેરફાર કરવો પડ્યો છે. એટલે હવે તમારે અગાઉ અથવા તો મોડું જવાનું થયું
હવે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી
છેલ્લી ઘડીમાં તમે જૂની ટીકીટ કેન્સલ કરાવવાનું વિચારી રહ્યા છો અને જો નવી તારીખની ટીકીટ નથી મળી રહી તો એક વાર વિચારજો. કારણકે હવે ટ્રાવેલની તારીખમાં ફેરફાર થાય તો તમારે ટિકિટ કેન્સલ કરાવવાની જરૂર નથી અને તમે એ જ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. આ માટે, તમારી રેલ્વેનાં થોડા નિયમો જાણવા મહત્વપૂર્ણ છે.
રેલવેનાં નિયમ શું છે ?
રેલવેના નિયમ મુજબ ટિકિટ કેન્સલ કર્યા વગર પ્રવાસની તારીખ પણ તમે આગળ કે પાછળ કરી શકો છો. તમારી મુસાફરીની તારીખ બદલવા માટે, તમારે ટ્રેનના પ્રસ્થાનના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશનના સ્ટેશન મેનેજર અથવા કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સેન્ટર પર જવું પડશે અને એપ્લિકેશન આપવી પડશે. રેલવેથી મુસાફરીની તારીખ બદલવાની સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન બંને છે.
ડેસ્ટિનેશન સ્ટેશન માં પણ ફેરફાર થઇ શકશે
તમે ટ્રીપના ડેસ્ટિનેશન સ્ટેશનમાં પણ ફેરફાર કરી શકો છો. હા, તમે તમારી અનુકૂળતા મુજબ તમારા ડેસ્ટિનેશન સ્ટેશનને બદલીને તમારી યાત્રા આગળ વધારી શકો છો. આ માટે તમારે ટ્રેનમાં ટીટીઈ પાસેથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની ટિકિટ ખરીદવી પડશે. જ્યાં સુધીની તમારી પાસે ટીકીટ છે, તમારે આગળ જવા માટે ત્યાંથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની ટિકિટ લેવી પડશે.