ઘર ખરીદવા માટે ગયા એક દશકા બાદ સૌથી સારો ચાન્સ 1 એપ્રિલથી શરુ થઇ રહ્યો છે. આવું GST કાઉન્સિલના અંડર કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ અને સસ્તા ઘરો પર GST ઘટાડવાના નિર્ણયના લીધે થશે. હકીકતમાં અંડર કંસ્ટ્રક્શન ફ્લેટ્સ પર હાલના 12 % ની જગ્યાએ 5 % GST દર કરી દેવાયો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન પર સબ્સિડી મળશે:
આાગમી 20 દિવસ પછી ઘર ખરીદવાના સારા દિવસો આવી રહ્યા છે. પણ તે પછી જો રાહ જોવાનું વિચારતા હોય તો એવું ન કરતા. હકીકતમાં અંડર કંસ્ટ્રક્શન ફ્લેટ્સ પર હાલના 12 % ની જગ્યાએ 5 % GST કરવાની પહેલથી રિયલ એસ્ટેટ સેક્ટર પર ટેક્સનું ભારણ ઘટશે પણ ડેવલપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે, જેનાથી ડેવલપર્સની કંસ્ટ્રક્શન કોસ્ટ વધશે. બની શકે કે ડેવલપર્સ આગલા થોડા મહિનાઓ સુધી કિંમતોમાં વધારો ન કરે પણ જેવી અનસોલ્ડ ઇન્વેન્ટરીની સંખ્યા ઓછી થશે, પ્રોપર્ટીની કિંમતોમાં વધારો થશે.
45 લાખ રૂપિયાની કિંમતના મકાન પર 5.82 લાખની બચત:
- પહેલીવાર ઘર ખરીદવાનો સોનેરી ચાન્સ કેમ છે તેને આ રીતે સમજી શકાય. જો તમે પહેલીવાર અન્ડર કંસ્ટ્રક્શન ઘર ખરીદતા હોય તો અત્યાર સુધી તેમાં 12 % GST ચૂકવવો પડે એમ હતો, હવે તેમાં GSTનો દર 5 % થવાથી ખર્ચો 7 % ઘટશે.
- આવું થવાથી 45 લાખની પ્રોપર્ટી પર 3.15 લાખ રૂપિયાની સીધી બચત થશે. જો તમે પહેલીવાર ઘર ખરીદવા જઈ રહ્યા હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન પર 2.67 લાખ રૂપિયાની સબ્સિડી મળશે. આ રીતે કુલ 5.82 લાખની બચત થશે
સસ્તા ઘર ખરીદવા વધુ સરળ:
- દેશમાં ઘરની અછત દૂર કરવા માટે સસ્તા ઘરની વ્યાખ્યા બદલવામાં આવી છે. મેટ્રો શહેરમાં 650 ચોરસ ફુટના ઘર સસ્તા ઘરની શ્રેણીમાં જયારે નોન-મેટ્રો શહેરમાં આ આકાર 970 ચોરસ ફુટ કરી દેવાયું છે. શરત એ છે કે મકાનની કિંમત 45 લાખ રૂપિયા સુધીની હોય. તેનો મતલબ એ થાય કે 45 લાખ રૂપિયા સુધીના મકાન સસ્તા ઘરની શ્રેણીમાં આવશે. આ મકાન પર માત્ર 1 % GST આપવાનો રહેશે. એટલે કે જો તમે પહેલી વખત ઘર ખરીદી રહ્યા છો તો માત્ર 1 % GST આપીને ઘર ખરીદી શકો છો. આ સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન પર સબ્સિડી લઇ શકે છે. સસ્તા ઘરો પર GST ઘટાડવા માટેની સકારાત્મક અસર થશે.