દર્શકમિત્રો અત્યાર સુધી આપણે મહામંથનમાં નેતાઓના બફાટ,ચૂંટણી ઢંઢેરો,ચૂંટણીલક્ષી મુદ્દાઓ વિશે ઘણી ચર્ચા કરી..પરંતુ આજે આપણે વાત કરીશું પ્રજાના અધિકારની. લોકતંત્રના પર્વની...પ્રજાના પાવરની. એ પાવરની કે જેનો મત દિલ્લીમાં સરકાર કોણ ચલાવશે તે નક્કી કરશે. તે પાવરની કે જ્યારે પ્રજા રૂઠે ત્યારે ભલભલા નેતાઓને ઘર ભેગા કરી દે છે. સમગ્ર વિશ્વમાં જો કોઈ સૌથી મોટું લોકતંત્ર હોય તો તે ભારત છે અને અહીં જ્યારે આપણે આંગણે લોકતંત્રનું પર્વ આવ્યું છે ત્યારે હું આપ સૌને એક જ અપીલ કરવામાં માગું છુ કે તમે વોટ અચૂક કરજો.જો કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો ઉપયોગ કરજો. પરંતુ તમને જે અધિકાર ભારતના નાગરિક તરીકે મળ્યા છે તેનો ઉપયોગ જરૂર કરજો. તમારો એક વોટ દેશનું ભાવિ નક્કી કરી શકે છે..તમારો એક વોટ પ્રતિનિધિને ચૂંટવામાં મદદરૂપ થઈ શકે છે..એટલે જ હું આપને આ અપીલ કરી રહ્યો છે. કે મતાધિકારનો ઉપયોગ કરો અને લોકતંત્રના આ પર્વમાં જોડાજો..