એક સ્ટડી અનુસાર દરરોજ આ વસ્તુના સેવનથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.
આ રીતે બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં
જાણો સ્ટડીમાં શું થયો ખુલાસો
આ એક વસ્તુનું સેવન છે ફાયદાકારક
દહીં ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. એક સ્ટડી અનુસાર, દરરોજ દહીંનુ સેવન કરવાથી તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે અને તમને હૃદય રોગથી બચાવે છે. University of South Australia અને University of Maine એ મળીને અભ્યાસ કર્યો છે. દહીં, બ્લડ પ્રેશર અને કાર્ડિયોવાસ્કુલર રિસ્ક ફેક્ટર્સની વચ્ચે લિંકને લઈને વૈજ્ઞાનિકોએ સ્ટડી કરી છે. દહીં, બ્લડ પ્રેશર અને કાર્ડિયોવાસ્કુલર રિસ્ક ફેક્ટર્સની વચ્ચે લિંકને લઈને વૈજ્ઞાનિકોએ આ સ્ટડી કરી.
દહીંનુ સેવન ફાયદો પહોંચાડે છે
આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે હાઈપરટેન્શનના દર્દીઓમાં દહીંનું સેવન ફાયદો પહોંચાડે છે. તેનાથી બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદ મળે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો હાઈ બ્લડ પ્રેશરના દર્દી રોજ દહીંનું સેવન કરે તો તેમના બ્લડ પ્રેશર લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે.
હાઈપરટેન્શનના દર્દીઓમાં પોઝિટિવ પરિણામ
હાઈપરટેન્શનના કાર્ડિયોવાસ્કુલર ડિઝીઝનો ખતરો વધી જાય છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો તમે રોજ દહીંનું સેવન કરો છો તો તેનાથી તમને ફાયદો મળશે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને હૃદય રોગોના જોખમને ઓછુ કરી શકાય છે. સ્ટડીમાં હાઈપરટેન્શનના દર્દીઓમાં તેના પોઝિટિવ પરિણામ જોવા મળ્યા છે.
UniSA રિસર્ચર Dr. Alexandra Wadeએ જણાવ્યું કે High blood pressure જ Cardiovascular Diseaseના ખતરાને વધારે છે. માટે જરૂરી છે કે તમે તેને ઓછુ કરવા અને તેને રેગ્યુલેટ કરવાની રીતો શોધો. ડેરી ફૂડ ખાસ કરીને દહીં, બ્લડ પ્રેશર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે.
વૈજ્ઞાનિકો અનુસાર ડેરી ફૂડમાં ઘણા પ્રકારના Micronutrients જેવા કે calcium, magnesium અને potassiumની માત્રા હોય છે. આ દરેક વસ્તુઓ બ્લડ પ્રેશરને ઓછુ કરવા અને રેગુલેટ કરવામાં મદદ કરે છે.
ખાસ પ્રકારના બેક્ટેરિયા
દહીંમાં એક ખાસ પ્રકારના બેક્ટેરિયા હોય છે. જે પ્રોટીનના રિલીઝને પ્રમોટ કરે છે અને તેનાથી બ્લડ પ્રેશર ઓછુ થાય છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે જે લોકોનું બ્લડ પ્રેશર વધેલું હતું. તેમણે જ્યારે ઓછા પ્રમાણમાં પણ દહીંનું સેવન કર્યુ તો તેમનું બ્લડ પ્રેશર ઓછુ થયું.
ત્યાં જ નિયમિત રૂપથી દહીં ખાતા વ્યક્તિમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે તેનાથી બ્લડ પ્રેશર રિડિંગમાં 7 પોઈન્ટનો ઘટાડો થયો. આ એ લોકોની તુલનામાં ખૂબ જ ઓછુ હતું. જે દહીં ન હતા ખાતા. આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ 915ને શામેલ કર્યા હતા.