મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં દૂષ્કર્મીઓ વિરુદ્ધ મહાઅભિયાન ચલાવાનું એલાન કર્યું છે. સીએમએ કડક શબ્દોમાં કહ્યું કે મહિલાઓ, દિકરીઓ, સગીર બાળકો અને અનૂસૂચિત જાતિના લોકો સામે અપરાધ કરનારાઓનું સભ્ય સમાજમાં કોઇ સ્થાન નથી. આવા અસમાજિક તત્વો સામે એવી કાર્યવાહી કરવામાં આવે કે ગળામાં તખ્તી લટકાવી માફી માંગે અથવા રાજ્ય છોડીને ભાગી જાય.
નવ દિવસ સુધી રાખો નજર, વિજયાદશમી પછી કરો કાર્યવાહી
ગુરુવારથી નવરાત્રી, દશેરા તેમજ દિવાળી સહિત આગામી અન્ય તહેવારોને ધ્યાનમાં લઇ કાયદો-વ્યવસ્થા માટે પોલીસ તેમજ તંત્રના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરી રહ્યાં હતા. નિવાસ સ્થાન પરથી યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અનુસૂચિત જાતિ, ધર્મગુરુ અથવા કોઇ જનપ્રતિનિધિની સાથે થયા અપરાધની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા પોલીસ તેમજ પ્રશાસનના અધિકારીઓને વિશેષ ધ્યાન આપે. તેમાં લાપરવાહી ન થાય.
17 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા 'મિશન શક્તિ' ના પહેલા તબક્કામાં 9 દિવસ સુધી દરેક પોલીસ ચોકીમાં એવા અસમાજિક તત્વોની યાદી બનાવે અને તેની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવે. વિજયદાશમી પછી તેના પર કાર્યવાહીનું અભિયાન શરૂ કરે. તેમના પરિવારજનોને તેમની કારસ્તાની બતાવતા તેના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આવી કાર્યવાહીની રોજની રિપોર્ટિંગ થાય અને તંત્ર સ્તર પર તેની સમીક્ષા થાય. જાહેર કરાયેલા દોષીઓનો ચોક પર ફોટો પણ લગાવો.
પૂજા-પંડાલોમાં સાદા ડ્રેસ કોડમાં તૈનાત થાય મહીલા પોલીસકર્મી
જો કે કેટલીક અપરાધિક ઘટનાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી આદિત્યનાથે પોલીસ વિભાગને સક્રિયતા, તત્પરતા, સંવેદનશીલતા અને કઠોરતાની નીતિ અપનાવતો મંત્ર આપ્યો. સીએમ યોગીએ કહ્યું કે જિલ્લા સ્તરના અદિકારી તાત્કાલિક પ્રભાવી અને કડક કાર્યવાહી કરે. ઘટના પછી તરત ઘટનાસ્થળે પહોંચે.
અફવાઓથી કડકડાઇથી નિપટે અને સત્ય જનતાની સામે લાવ, જેથી કોઇપણ પ્રકારનો ભ્રમ ન ફેલાય. મોડીથી કરવામાં આવેલી કાર્યવાહી ક્યારેય સાચી ન કહી શકાય. તહેવારને લઇને પોલીસ અને તંત્ર સતર્ક રહે. રામલીલા તેમજ દૂર્ગા પંડાલોમાં મહિલા પોલીસ કર્મી સાદ ડ્રેસમાં તૈનાત રહે, ડ્રોનથી નજર રાખવામાં આવે.
પોલીસ ચોકી સ્તરના ભ્રષ્ટાચારની ફરિયાદો SP પણ જવાબદારી નક્કી કરાશે
મુખ્યમંત્રીએ કહ્યું કે પોલીસ ચોકી સ્તર પર ભ્રષ્ટાચારની ફરિયાદોમાં હવે SP સ્તર સુધીના અધિકારીઓની જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવશે. કોઇપણ માફિયા અથવા અપરાધી સાથે કોઇપણ અધિકારીની સાઠગાંઠ મળે તો તે અધિકારી સામે એવી કડક કાર્યવાહી થાય, જે એક ઉદાહરણરૂપ બને.