ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે અઢી વર્ષ જૂના ઘટનાક્રમને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે યોગી આદિત્યનાથને યુપીના મુખ્ય પ્રધાનની જવાબદારી કેમ અને કયા સંજોગોમાં આપી હતી. ઉત્તર પ્રદેશની બીજી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની-2 ને સંબોધિત કરતી વખતે અમિત શાહે કહ્યું કે કોઈને આશા નહોતી કે યોગી યુપીના મુખ્યમંત્રી બનશે.
અમિત શાહે કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી પદ માટે યોગીના નામની જાહેરાત કરવામાં આવી મારો ફોન સતત રણકવા લાગ્યો. લોકોએ કહ્યું કે, યોગીએ ક્યારેય નગરપાલિકા પણ ચલાવી નથી, ક્યારેય મંત્રી પણ રહ્યા નથી અને એ તો એક સન્યાસી છે અને આવડા મોટા રાજ્યના મુખ્યમંત્રી બનાવી દીધા.
UP CM Yogi Adityanath: Post the Investors Summit, as far as pvt investment is concerned, investment of more than Rs 1.50 Lakh Crore is being done in UP. As far as public investment is concerned, we have been successful in bringing in more than 1.25 Lakh Crore of investment. pic.twitter.com/jt3tt0npqt
અમિત શાહે ઉત્તરપ્રદેશના CM તરીકે જવાબદાર સોંપવા માટે પાર્ટીમાં થયેલ મહામંથનને યાદ કરતા કહ્યું કે, તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટીના અધ્યક્ષ તરીકે મારા મનમાં એક જ વાત ચાલી રહી હતી. તે વાત એમ હતી કે એવો શખ્સ જે સમર્પિત હોય અને કઠિન પરિશ્રમ કરવાની યોગ્યતા રાખતો હોય તથા તમામ પરિસ્થિતિઓમાં પોતાના મનને ઢાળી શકે. માટે અમે ઉત્તર પ્રદેશના ભવિષ્યને યોગીજીના હાથમાં સોંપ્યું અને તેમણે આ નિર્ણયને સાચો સાબિત કરી બતાવ્યો.
Union Home Minister Amit Shah, at UP govt’s 2nd groundbreaking ceremony of projects: PM said India will be made a US$ 5 trillion economy. Remarks were made by people. But I'd like to say that b/w 2014-2019, central govt completed the work of laying down a foundation for this. pic.twitter.com/a29HPOsdbE
ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારના રોજ ગોમતીનગર સ્થિત ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાંમ આયોજીત ગ્રાઉન્ડ સેરેમની-2નો શુભારંભ કર્યો. આ દરમિયાન રાજ્યપાલ રામ નાઇક, મુખ્યમંત્રી આદિત્યનાથ, બંન્ને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય અને ડો. દિનેશ શર્મા હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી યોદી આદિત્યનાથે ગ્રાઉન્ડ બ્રેકીંગ સરેમની-2ને સંબોધન કરતા જણાવ્યું કે, આજે સુશાસનનું પરિણામ ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની છબી બદલવાનું કારણ રોકાણકારો અહીં આવી રહ્યા છે.