બેંગ્લુરુથી વોશિંગ્ટન સુધી યોગી મોર્ડલની ચર્ચા થઈ રહી છે. હકિકતમાં બેંગ્લુરુની હિંસા પર કર્ણાટક સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ બાદ હવે અહીં પણ ગુનેગારોની સંપત્તિ જપ્ત કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. સરકારે બેંગલુરુ હિંસાને સુનિયોજિત ષડયંત્ર ગણાવ્યુ હતુ. એક કલાકથી વધારે સમય સુધી પેટ્રોલ બોમ્બ ફેંકાયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. 11 ઓગસ્ટની રાતે આઈટી હબ ગણાતા બેંગલુરુમાં હિંસાનો દાગ લાગ્યો છે જેને લઈને લોકો હેરાન પરેશાન છે. આ ઘટનાએ દુનિયાને આઈટી સોલ્યૂશન આપનાર આ શહેરના એક વર્ગને સળગાવી દીધો છે.
કર્ણાટકમાં હિંસાખોરોની ખેર નથી તેમની સંપતિ થશે જપ્ત
આ આરોપ હેઠળ અત્યાર સુધીમાં 146 લોકોની ધરપકડ કરવામાં આવી છે
આ બાદ અમેરિકામાં થયેલી હિંસામાં વોશિંગ્ટનમાં દંગાખોરોના પોસ્ટર લગાવવામાં આવ્યા
શહેરના પુલાકેશી નગર વિસ્તારને સળગાવી દેવામાં આવ્યો છે. 2 પોલીસ સ્ટેશનમાં આગ લગાવવામાં આવી છે. આરોપ મુજબ બેંગલુરુના એક સ્થાનીક કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના સંબંધીએ ફેસબુક પર પેગમ્બર મોહમ્મદ પર એક વાંધાજનક ટિપ્પણી લખી હતી. એ બાદ ધર્મ વિશેષની ભીડે હિંસા ભડકાવી હતી અને ધારાસભ્યના ઘર પર હુમલો કરી તેને આગ લગાવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિએ યેદુરપ્પા સરકાર પાસે સુરક્ષાની માંગ કરી હતી. શ્રીનિવાસ મૂર્તિએ કહ્યું કે તેમના ઘર પર પેટ્રોલ બોમ્બ તથા ટાયર સળગાવીને ફેંકવામાં આવી રહ્યા છે. આ આરોપ હેઠળ અત્યાર સુધીમાં 146 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનામાં 3 લોકોના મોત થયા છે.
દંગો કરનારા પાસેથી એક એક રુપિયાનો હિસાબ લેવા માટે કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું કે હિંસાના ગુનેગારોની સંપત્તિ જપ્ત કરી નુકશાનની ભરપાઈ કરવામાં આવશે. કર્ણાટક સરકારે આ નિર્ણયના મૂળમાં ઉત્તરપ્રદેશ સરકારનું યોગી મોર્ડલ છે. જેની ચર્ચા દેશ ભરમાં જ નહીં પણ દુનિયા ભરમાં થઈ રહી છે. કેબિનેટ મંત્રી સીટી રવિએ કહ્યુંકે આ હિંસા એક સુઆયોજિત ષડયંત્ર હતું. જેની પાછળ SDPIના મુજ્જમિલ પાશાનો હાથ છે. ઉલ્લેખનીય છે કે SDPI, દિલ્હી, યુપીની હિંસામાં આરોપી પીએફઆઈનું સહયોગી સંગઠન છે.
યુપીમાં હિંસાખોરો પાસેથી વસૂલીના પોસ્ટર ચાર રસ્તાઓ પર લગાવી દેવામાં આવ્યા છે. આ બાદ અમેરિકામાં થયેલી હિંસામાં વોશિંગ્ટનમાં દંગાખોરોના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. હવે કર્ણાટકમાં હિંસાખોરોની ખેર નથી તેમની સંપતિ થશે જપ્ત.