WHO પછી હવે ઑસ્ટ્રેલિયાના કોરોના મેનેજમેન્ટમાં યોગી મોડેલની પ્રશંસા થઈ છે. ઑસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કેલીએ એક ટ્વીટમાં UP અને UKના આંકડાની તુલના કરીને ઉત્તર પ્રદેશના સંચાલનની પ્રશંસા કરી છે.
ઑસ્ટ્રેલિયાના કોરોના મેનેજમેન્ટમાં યોગી મોડેલની થઈ પ્રશંસા
સંક્રામક રોગોના નિયંત્રણ માટે શરૂ કરાયું મહાઅભિયાન
કોરોના વાયરસને હરાવવા, યુપીની યોગી સરકારનું મોડેલ ઓસ્ટ્રેલિયા સુધી ડંકો વાગ્યો છે.
ઑસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કેલીએ યુપી મોડેલની પ્રશંસા કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે યોગી સરકારે ડેલ્ટા વેરિઅન્ટને રોકવા માટે કડક નીતિ અપનાવી છે. યુપીએ યુકે કરતા પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે. ક્રેગે પોતાના ટ્વિટમાં આજે યુપી અને યુકેના આંકડા અને વસ્તીની તુલના કરી છે. તેમણે લખ્યું છે કે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી 20.42 કરોડ છે. ઉત્તર પ્રદેશે આઈવરમેક્ટીનનો ઉપયોગ કરીને કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ સામે યુદ્ધ જીતી લીધું છે. યુપીમાં આજે કોરોનાના 182 નવા કેસ નોંધાયા છે.
અગાઉ WHOએ પણ કરી હતી પ્રશંસા
યુકેની વસ્તી 67 મિલિયન છે. ઇવરમેક્ટિનને યુકેમાં નકારવામાં આવ્યો હતો અને કોરોનાથી રક્ષણ મેળવવા વેક્સિનેશન અભિયાન સહૃ કરવામાં આવ્યું હતું. યુકેમાં આજે કોરોનાના 20,479 નવા કેસ છે. અગાઉ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પણ યોગી સરકારના કોવિડ મેનેજમેન્ટની પ્રશંસા કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં રાજ્ય સરકારના માઇક્રો મેનેજમેન્ટની WHO દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. WHOએ તેની વેબસાઇટ પર યુપીના કોરોના મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. કોરોના વાયરસની પ્રથમ લહેર દરમિયાન પણ, WHOએ યોગી સરકારના સંચાલનના વખાણ કર્યા હતા.
કોરોનાની ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ
યુપીના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના તપાસ અભિયાનની પ્રશંસા કરતી વખતે, WHOએ કહ્યું કે સરકારે રાજ્યના 75 જિલ્લાઓના 97941 ગ્રામ્ય વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પરીક્ષણ, અઇસોલેશન અને મેડિકલ કીટ સહિતની અન્ય સુવિધાઓ પૂરી પાડી છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ સરકારે આક્રમક વ્યૂહરચના અપનાવી છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે, યુપીમાં સંક્રામકરોગોના અસરકારક નિયંત્રણ માટે એક અભિયાન શરૂ કરાયું છે. રાજ્યવ્યાપી વિશેષ રોગ નિયંત્રણ અભિયાન 31 જુલાઇ સુધી ચલાવવામાં આવશે.
સંક્રામક રોગોને નિયંત્રિત કરવા માટેનું અભિયાન
આ અભિયાનમાં લોકોને સંક્રામક રોગો વિષે માહિતગાર કરતી વખતે રક્ષણ અને નિવારણ પ્રત્યે જાગૃતિ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. મગજના તવને નિયંત્રિત કરવા માટે 12 થી 25 જુલાઇ સુધી દસ્તક અભિયાન ચલાવવામાં આવશે. દસ્તક અભિયાનમાં મોનિટરિંગ સમિતિઓ ઘરે ઘરે જશે. તે જ સમયે, ફ્રન્ટ લાઈન કાર્યકરો, આશા અને આંગણવાડી કાર્યકરો આ અભિયાનમાં સહકાર આપશે. બાળકો માટે બનાવેલી મેડિસિન કીટ ઉપરાંત અન્ય રોગોમાં પણ મફત દવાઓ આપવામાં આવશે.