દિલ્હીના જહાંગીરપુરીમાં ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી હિંસાની ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં ધાર્મિક આયોજનોને લઈને વધું સતર્કતા રાખવાની વાત કહી છે.
દિલ્હીની હિંસાથી સફાળા જાગ્યા યોગી આદિત્યનાથ
યુપીમાં જાહેર કર્યા નવા નિયમો
હવેથી આ કામો તો નહીં જ કરી શકો
દિલ્હીના જહાંગીરપુરીમાં ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી હિંસાની ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં ધાર્મિક આયોજનોને લઈને વધું સતર્કતા રાખવાની વાત કહી છે. તેમણે 4 મે સુધી પોલીસ તથા પ્રશાસનના ઓફિસરોની રજા કેન્સલ કરી દીધી છે. સાથે જ માઈકનો અવાજ ધાર્મિક પરિસર સુધી મર્યાદિત રાખવાનો આગ્રહ કર્યો છે. યોગીએ સોમવાર રાતે પોલીસ તથા પ્રશાસનને શાસનને લઈને મંડળ સુધી ટોપના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા વાત કરી હતી.
थानाध्यक्ष, सीओ और पुलिस कप्तान से लेकर जिलाधिकारी मंडलायुक्त तक सभी प्रशासनिक/पुलिस अधिकारियों का 04 मई तक का अवकाश तत्काल प्रभाव से निरस्त होगा।
जो वर्तमान में अवकाश पर हैं, अगले 24 घंटे के भीतर तैनाती स्थल पर वापस लौटें:#UPCM श्री @myogiadityanath जी
તેમણે કહ્યું કે, ધાર્મિક કાર્યક્રમ, પૂજા પાઠ નક્કી કરેલા સ્થાન પર જ થાય. રોડ માર્ગ, પરિવહન અવરજવરને અડચણ રૂપ કોઈ ધાર્મિક આયોજન થવું જોઈએ નહીં, પોતાની ધાર્મિક વિચારધારા અનુસાર તમામને પોતાની ઉપાસના પદ્ધતિ માનવાની સ્વતંત્રતા છે. માઈકનો ઉપયોગ કરી શકાય છે, પણ એ નક્કી કરો કે, અવાજ તેના પરિસરની બહાર ન જાય. અન્ય લોકોને અસુવિધા થવી જોઈએ નહીં, નવા સ્થાન પર માઈક લગાવાની પરવાનગી ન મળવી જોઈએ.
कोई शोभायात्रा/धार्मिक जुलूस बिना विधिवत अनुमति के न निकाली जाए। अनुमति से पूर्व आयोजक से शांति-सौहार्द कायम रखने के संबंध में शपथ पत्र लिया जाए।
अनुमति केवल उन्हीं धार्मिक जुलूसों को दिया जाए, जो पारंपरिक हों, नए आयोजनों को अनावश्यक अनुमति न दी जाए:#UPCM श्री @myogiadityanath जी
હવેથી યુપીમાં પરવાનગી વિના કોઈ પણ પ્રકારનું ધાર્મિક સરઘસ કે શોભાયાત્રા નહીં નીકાળી શકાય. આ સંદર્ભે યોગી સરકારે સોમવારે મહત્વનો આદેશ જારી કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ અનુસાર, હવેથી રાજ્યમાં શોભાયાત્રા નીકાળતા પહેલાં આયોજકો પાસેથી શાંતિ અને સૌહાર્દ જાળવવા અંગે એફિડેવિટ લેવામાં આવશે.
सभी को अपनी उपासना पद्धति को मानने की स्वतंत्रता है।
माइक का प्रयोग किया जा सकता है, लेकिन यह सुनिश्चित हो कि माइक की आवाज़ उस परिसर से बाहर न आए।
મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, 'હવેથી કોઈ શોભાયાત્રા કે ધાર્મિક સરઘસ પરવાનગી વિના નીકાળવામાં નહીં આવે. પરવાનગી પહેલાં, આયોજક પાસેથી શાંતિ અને સંવાદિતા જાળવવા અંગેનું સોગંદનામું લેવામાં આવશે. ફક્ત એ લોકોને જ ધાર્મિક સરઘસ નીકાળવાની પરવાનગી અપાશે કે જે પરંપરાગત હોય, નવા કાર્યક્રમોને બિનજરૂરી પરવાનગી ન આપવી જોઈએ.'
રામનવમી-હનુમાન જયંતિ પર સામે આવી હિંસાની ઘટનાઓ
જણાવી દઇએ કે, યોગી સરકારનો આ આદેશ પણ એવાં સમયે આપવામાં આવ્યો કે જ્યારે હાલમાં રામનવમી અને હનુમાન જયંતિના અવસર પર દેશના અલગ-અલગ રાજ્યોમાં શોભાયાત્રા દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. એ સિવાય દિલ્હીના જહાંગીરપુરીમાં પણ હનુમાન જયંતિ પર હિંસા થઈ હતી.