ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના બીજા કાર્યકાળને એક મહિનો પુરો થઈ ગયો છે. તેની સાથે જ રાજ્યમાં શાસન વ્યવસ્થા વધારે સારી રીતે આગળ વધારવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે.
યોગી સરકારના બીજા કાર્યકાળનો એક મહિનો થયો
યોગી કેબિનેટમાં લેવાયો મોટો નિર્ણય
મંત્રીની સાથે સાથે પરિવારના લોકોની સંપત્તિનું વિવરણ પણ આપવાનું
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના બીજા કાર્યકાળને એક મહિનો પુરો થઈ ગયો છે. તેની સાથે જ રાજ્યમાં શાસન વ્યવસ્થા વધારે સારી રીતે આગળ વધારવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રીના નેતૃત્લવમાં મંત્રીપરિષદની ખાસ બેઠક મંગળવારે મળી હતી. તેમાં મંત્રીઓને દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. સીએમ યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, તમામ મંત્રીઓએ પોતાની સંપત્તિની જાહેરાત કરવાની રહેશે. સાથે જ પરિવારના લોકોની સંપત્તિનું પણ વિવરણ આપવાનું રહેશે. આ ઉપરાંત મંત્રીઓને મંડળ વહેંચવામાં આવ્યા છે. અહીં જઈને વિકાસ યોજના અને સરકારના કામને જમીન પર લાગૂ કરવાની સ્થિતિની જાણકારી એકઠી કરવાની રહેશે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને દલિતોની રાજધાની કહેવાતા આગરા મંડળની જવાબદારી સોંપવામાં આવી છે. તો વળી બીજા ડેપ્યુટી સીએમ બ્રેજશ પાઠકને પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીની જવાબદારી આપવામાં આવી છે.
પરિવારના લોકોને શાસનથી દૂર રાખવાના આદેશ
સીએમ યોગીએ તમામ મંત્રીઓને નિર્દેશ આપ્યા છે કે, શાસન વ્યવસ્થામાં પોતાના પરિવારના લોકોને અલગ રાખે. તેમણે કહ્યું છે કે, શાસકીય કાર્યોમાં તેમના પરિવારના સભ્યોની કોઈ દખલગીરી હોવી જોઈએ નહીં. આપણે આદર્શ ઉદાહરણ પુરુ પાડવાનું છે. સીએમે કહ્યું કે, કેબિનેટની સમક્ષ તમામ વિભાગોની સાંગઠનિક વ્યવસ્થાથી તમામ લોકો અવગત થઈ ચુક્યા છે. આગામી 100 દિવસ, 6 મહિના, 1 વર્ષ અને 2 તથા 5 વર્ષના કામનું પ્રેજેંટેશન પણ થઈ ચુક્યું છે. હવે તેને જમીન પર ઉતારવાનો સમય આવી ગયો છે. તેમણે તમામ મંત્રીઓને વિભાગીય અધિકારીઓને તેના માટે માર્ગદર્શન કરવાનો નિર્દેશ આપ્યો છે.
હવે સરકાર પહોંચશે જનતાના દ્વારે
સીએમ યોગીએ કહ્યું કે, સરકારને એક મહિનો પુરો થઈ ચુક્યો છે. ભાવી કાર્યયોજના તૈયાર થઈ ચુકી છે. હવે સરકાર જનતાના દ્વારે પહોંચશે. તેમણે કેબિનેટના તમામ સહયોગીઓને વિધઆનસભા સત્ર શરૂ થવા પહેલા રાજ્યનો પ્રવાસ કરવાનું સૂચન આપ્યું છે. તેને લઈને તેમણે 18 મંત્રી સમૂહના ગઠનની જાણકારી આપી હતી. સીએમ યોગીએ કહ્યું કે, ડેપ્યુટી સીએમની ટીએમ એક એક રાજ્ય મંત્રી અને અન્ય ટીમોમાં ત્રણ મંત્રી રાખશે. 18 ગ્રુપ 18 મંડળનો પ્રવાસ કરશે. ભ્રમણ કાર્યક્રમ રવિવાર સુધી ચાલશે.