ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદ અને ફૈઝાબાદનું નામ બદલ્યા બાદ હવે યોગી આદિત્યનાથની સરકાર ટુંક સમયમાં આગ્રાનું નામ પણ બદલી શકે છે. કારણ કે કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તાજમહેલ માટે જાણીતા આ શહેરનું વાસ્તવિક નામ અગ્રવન હતું.
આંબેડકર યૂનિવર્સિટીના વાઇસ ચાંસલર અરવિંદ દીક્ષિતે પુષ્ટિ કરી
ત્યારે હવે ચર્ચા ચાલી રહી છે કે આગ્રાનું નવું નામ અગ્રવન હોઇ શકે છે. તેના માટે સરકારે આગ્રાની આંબેડકર યૂનિવર્સિટી પાસેથી પુરાવા માંગ્યા છે કે શું ક્યારે આ અગ્રવન હતું અને કઇ પરિસ્થિતિઓમાં આ આગ્રા થયું.
ડૉક્ટર આંબેડકર યૂનિવર્સિટીના વાઇસ ચાંસલર અરવિંદ દીક્ષિતે પુષ્ટિ કરી છે કે આગ્રાનો પ્રાચીન ઇતિહાસ શોધવા અને શાસનથી આવેલ પત્રના ઐતિહાસિક તથ્યોની સાથે જવાબ આપવા માટે સાક્ષી એકત્ર કરવાની પ્રક્રિયા અને શોધ શરૂ કરી દેવામાં આવી છે. સાક્ષી એકઠા કર્યા બાદ સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે.
આગ્રાના ડૉક્ટર આંબેડકર યૂનિવર્સિટીના વાઇસ ચાંસલર અરવિંદ દીક્ષિતે જણાવ્યું કે કેટલાક દિવસો પહેલા યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પોર્ટલ પર આગ્રાનું નામ અગ્રવન કરવાની માંગને લઇને એક સંસ્ધા દ્વારા પત્ર મોકલવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી કાર્યાલયે આ પત્રને આગ્રાની ડિસ્ટ્રિક્ટ ઓથૉરિટીને સંદર્ભિત કરતા આ પત્રમાં ઉલ્લેખમાં આવેલ તથ્યો સંબંધિત જાણકારી માંગવામાં આવી હતી. કારણ કે આ મામલો શહેરના પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલ હતો, એટલા માટે ડિસ્ટ્રિક્ટ ઓથૉરિટીએ આ પત્રને વિશ્વવિદ્યાલયની પાસે મોકલી દીધો અને તથ્ય એકત્ર કરવાનો આગ્રહ કર્યો.