ઉત્તર પ્રદેશ સરકાર જલ્દી જ લખનૌ અને મેરઠમાં સંપત્તિ નુક્સાન ક્લેમ ટ્રિબ્યુનલનું ગઠન કરશે. આનું એલાન સીએમ યોગી આદિત્યાનાથે ટ્વીટ પર કર્યુ છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશને અરાજકતા સ્વીકાર નથી. સાર્વજનિક અથવા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડનાર દંગાખોરો અને ઉપદ્રવિયો પાસેથી વસુલાત કરવામાં આવશે.
સંપત્તિને નુકસાન પહોંચાડનાર પાસેથી વસુલાત કરવામાં આવશે
ઉપદ્રવિયો સાથે કડક વલણ દાખવવામાં આવશે
એલાન સીએમ યોગી આદિત્યાનાથે ટ્વીટ પર કર્યુ છે
સીએમ યોગીએ કહ્યું કે યુપી લોક અને ખાનગી સંપત્તિના નુકસાનની ભરવાઈ નિયમાવલી 2020 મુજબ લખનૌ તથા મેરઠમાં જલ્દી જ સંપત્તિ ક્લેમ અધિકરણની રચના કરવામાં આવશે. નવું ઉત્તર પ્રદેશ છે. ઉપદ્રવિયો સાથે કડક વલણ દાખવવામાં આવશે.
સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે લખનૌ મંડળના ક્લેમ અધિકરણના કાર્યક્ષેત્રમાં ઝાંસી, કાનપુર, ચિત્રકુટ, લખનૌ, અયોધ્યા, દેવી પાટન, પ્રયાગરાજ, આજમગઢ, વારાણસી, ગોરખપુર, બસ્તી અને વિન્ધ્યાચલ મંડળની ક્લેમ અરજી સ્વીકારવામાં આવશે.
ત્યારે મેરઠમાં ક્લેમ અધિકરણના કાર્યક્ષેત્રમાં સહારનપુર, મેરઠ, અલીગઢ, મુરાદાબાદ, બરેલી, આગરા મંડળની ક્લેમ અરજીઓ પર વિચાર કરવામાં આવશે. આ ટ્રિબ્યૂનલને સિવિલ ન્યાયાલયની તમામ પાવર મળેલા હશે અને તે તેજ રીતે કામ કરશે.
યુપી દેશનું પહેલું એવું રાજ્ય બન્યુ જ્યા આ રીતે ટ્રિબ્યુનલનું ગઠન કરવામાં આવ્યુ છે. દંગાખોરો અને ઉપદ્રવિયોએ પોતાના નિર્દોષ હોવાના પુરાવા અભિકરણમાં આપવાના કહેશે. આ અધિકરણમાં એ લોકો દાવો કરી શકે છે જેમની સંપત્તિને રમખાણો અથવા કોઈ જુલુસ દરમિયાન નુકસાન થયુ છે. અધિકરણ તેમની ફરિયાદ પર વસૂલાત કરશે.
નુકસાનની ભરપાઈ માટે પીડિતોને સંપત્તિના નુકસાનની તારીખના 3 મહિનાની અંદર અરજી કરવી પડશે. અધિકરણને અરજીના 30 દિવસના લેટ અરજીને માફ કરવાની છુટ છે. જેના માટે પોલીસ સ્ટેશન અધ્યક્ષની રિપોર્ટ લગાવવાની રહેશે. જેમાં નુકસાનનું આકલન કરવામાં આવ્યુ હોય. એ બાદ વસૂલાત કરવામાં આવશે.