ઉત્તરપ્રદેશમાં મોડી રાતે 20 IAS અને 4PCS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંજય પ્રસાદ અને આલોક કુમારને પોતાના મંત્રી બનાવ્યા છે. આ બદલી સમયે તેઓએ લખનઉમાં મુકેશ મેશ્રામને નવા કમિશ્નર બનાવ્યા છે.
1995ની બેચના આઈએએસ અધિકારી અને યૂપીએસ આઈડીસીના પ્રબંધ નિર્દેશક સંજય પ્રસાદ અને 1998ના આઈએએસ અધિરાકી અને અનાજ વિભાગના આલોક કુમારને મુખ્યમંત્રીના સચિવ બનાવવામાં આવ્યા છે. બંને અધિકારીઓ બિહારના નિવાસી છે. સંજય સિતામઢીના તો આલોક પટનાના રહેવાસી છે. સચિવ મુખ્યમંત્રીના પદ પર કાર્યરત 1995બેચના આઈએએસ અઘિકારી મૃત્યુંજય નારાયણના કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર જનારા અને 2000 બેચના આઈએએસ મનીષ ચૌહાણને શેરડી કમિશ્નર બનાવ્યા પછી આ પદ ખાલી હતા.
1996ની બેચના કેઆઈએએસ અધિકારી અનિલ ગર્ગને યોગી સરકારે આવનારા એપ્રિલ 2017માં લખનઉ મંડળમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું. બે વર્ષ અને 4 મહિના બાદ તેમને હટાવીને રાજ્ય ઓદ્યોગિક વિકાસ પ્રાધિકરણના સીઈઓના પદે કાનપુર મોકલી દેવામાં આવ્યા. અને તેમની જગ્યા હવે મુકેશ મેશ્રામને આપવામાં આવી છે.
ભૂસરેડ્ડીને ફરી આપવામાં આવ્યો શેરડી વિભાગ
શાસને શેરડી વિભાગના મનીષ ચૌહાણની હદલી કરીને તેમને અનાજ વિભાગ આપ્યો છે. પ્રમુખ સચિવ ખાંડ ઉદ્યોગ અને શેરડી વિકાસ પર સંજય આર. ભૂસરેડ્ડીને ફરીથી શેરડી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. મનીષ પહેલાં પણ આ જ વ્યક્તિ આ વિભાગ સંભાળી રહ્યા હતા.
જળ નિગમની કમાન આઈએએસ ઓફિસરોને સૌપવામાં આવી
જળ નિગમની વ્યવસ્થામાં મોટા બદલાવ કરવાની સાથે નિગમે પ્રબંધનની તમામ વ્યવસ્થા આઈએએસ અધિકારીઓના હવાલે કરી છે. શાસને જળનિગમની વ્યવસ્થા પ્રબંધ નિર્દેશક વરિષ્ઠ આઈએએસ અધિકારી વિકાસ ગોઠવાલને આપ્યો છે. તે હાલ સુધી સચિવ નગર વિકાસ હતા. આ સિવાય નિગમમાં સંયુક્ત પ્રબંધ નિર્દેશકના બે પદ પર આઈએએસ અધિકારી અને વિશેષ સચિવ ગૃહ સંજય કુમાર ખત્રી અને સીડીઓ ગાઝિયાબાદ રમેશ રંજનની નજર હેઠળ રહેશે. પહેલાં આ પદની જવાબદારી એન્જિનિયર્સની પાસે રહેતી હતી.