સરકાર પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ પુરો કરવા જઈ રહી છે. ભાજપ સરાકરે અમુક સંકલ્પો લીધા છે અને તે દિશામાં સરાકરે શું શું કર્યું તેના વિશેનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવો તે મારી ફરજ બને છે.
યોગી સરકારે જનતા સામે રજૂ કર્યો રિપોર્ટ કાર્ડ
છેલ્લા 5 વર્ષમાં સરકારે શું કર્યુ તેના લેખાજોખાં આપ્યા
મહામારીમાં સરકારે કેવી રીતે કર્યું પ્લાનીંગ તે પણ જણાવ્યું
સીએમ યોગીની હાજરીમાં ભાજપે યોગી ઉપયોગી ગીત લોન્ચ કર્યું છે. આ અવસરે યોગીએ કહ્યું હતું કે, સરકાર પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ પુરો કરવા જઈ રહી છે. ભાજપ સરાકરે અમુક સંકલ્પો લીધા છે અને તે દિશામાં સરાકરે શું શું કર્યું તેના વિશેનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવો તે મારી ફરજ બને છે. યોગીએ કહ્યું કે, 5 વર્ષના કાર્યકાળ દરમિયાન 3 વર્ષ સરકારને કામ કરવાનો મોકો મળ્યો, જ્યારે 2 વર્ષ મહામારીને કારણે પ્રભાવિત થયાં.
ભાજપ કાર્યાલય પર યોગીએ આ વાત કહી હતી. યોગીએ કહ્યું કે, મહામારી દરમિયાન પીએમ મોદીની આગેવાનીમાં યુપીમાં શાનદાર કામ થયું છે. કેન્દ્ર સરકાર સમય સમયે જે પણ ગાઈડલાઈન જાહેર કરી છે, તેનું પાલન કરવામાં આવ્યું છે. તેના પરિણામે જ ઉત્તર પ્રદેશ સરકારે 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને પ્રથમ ડોઝ આપી દીધો છે. 70 ટકા લોકોને ડબલ ડોઝ આપી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, 1947થી 2017 સુધી યુપીની અર્થવ્યવસ્થા સાતમા નંબર પર હતી, પણ છેલ્લા પાંચ વર્ષમાં અમે રાજ્યની અર્થવ્યવસ્થાને બીજા નંબરે લાવી દીધી છે.
યોગીએ કહ્યું કે, સરકારી પુરી કટિબદ્ધતાથી પોતાની જવાબદારી મહામારીમાં પણ નિભાવી છે. ખેડૂત હોય કે, મજૂર અથવા વિદ્યાર્થીઓ માટે સરકારે પોતાની જવાબદારીનું વહન કર્યું છે. ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ લગાવાનું કામ પુરૂ કરી દેવામાં આવ્યું છે. 3 ફેબ્રુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા 41 હજાર છે. સર્વાધિક ટેસ્ટ 10 કરોડ ઉત્તર પ્રદેશમાં થયા છે.
સીએમ યોગીએ કહ્યું કે, મહામારી પણ સરાકરની સ્પિડને ઘટાડી શકી નથી. 5 વર્ષની યાત્રામાં સરકાર માઈલસ્ટોન બનીને ઊભી રહી છે. અર્થવ્યવસ્થામાં નંબર 2 લાવવામાં સફળતા મળી છે. યુપીનું વાર્ષિક બજેટ 2 લાખ કરોડથી 6 લાખ કરોડ સુધી પહોંચાડવાનું કામ અમે કર્યું છે. દેશ અને દુનિયાના રોકાણકારો ઉત્તર પ્રદેશમાં આવતો ન હોતા.સરકારે જે રિફોર્મ કર્યા છે, તેનાથી યુપીમાં ખૂબ જ ફાયદો મળ્યો છે. યોગીએ કહ્યું કે, યુપીમાં રોજગાર ઉત્પન્ન અને નોકરીઓ આપવાનું કામ કરવામાં આવ્યું છે. મહામારીમાં રોજગાર પર ફોકસ કર્યું છે.
યોગીએ કહ્યું કે, યુપીમાં પોલીસ રિફોર્મ એક સપનું હતું. લોકો તેના વિશે વિચારતા જ નહોતા. લોકો વ્યક્તિગત સ્વાર્થ વિશે વિચારતા હતા. ભરતીમાં પારદર્શિતા લાવ્યા છીએ. કોઈ ભેદભાવ થતો નથી. પ્રદેશન અંદર જે ભરતી પર રોક લગાવામાં આવી છે, તેમાં ખામીઓ દૂર કરવાનું કામ કર્યું છે. યુપીમાં ભરતી અને પ્રમોશન રોકાયેલા હતા. અમારી સરકાર બન્યા બાદ તેને પુરા કર્યા છે. આજે યુપીમાં 18 રેંજમાં ફોરેન્સિક લેબની સ્થાપના થઈ રહી છે.
યોગીએ વધુમાં જણાવ્યું છે કે, યુપીમાં છેલ્લા પાંચ વર્ષમાં એકેય રમખાણો થયા નથી. આ સરકારની સફળતા છે. યુપીમાં ગુનાને કંટ્રોલ કરવામાં સફળતા મળી છે. ચાર પોલિસ કમિશ્નર નિમવામાં આવ્યા છે. પોલીસને વધારે મજબૂત બનાવવા માટે ખૂબ કામ કરવામાં આવ્યા છે.