કોરોના સંકટની વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી સરકારે સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતાં મોટો નિર્ણય લીધો છે. હવે લક્ષણ વિનાના સંક્રમિતોને હોમ આઈસોલેશનમાં રાખી શકાશે. તેમાં અનેક શરતોનું પાલન કરવાનું રહેશે. રવિવારે ટીમ 11 સાથે મુખ્યમંત્રીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ મોડી સાંજે હોમ આઈસોલેશન માટેની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.
યોગી સરકારનો મોટો નિર્ણય
લક્ષણો વિનાના કોરોના દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહી શકશે
होम आइसोलेशन की शर्तें बहुत ही सख्त होंगी, क्योंकि घर पर अगर कोरोना पॉजिटिव रह रहा है तो उसे इस तरह से रखा जाए की उसके संपर्क में कोई व्यक्ति न आए :उत्तर प्रदेश के अपर मुख्य सचिव गृह अवनीश कुमार अवस्थी https://t.co/pXj8hgmLRp
હોમ આઈસોલેશનને માટે સ્વાસ્થ્ય વિભાગે સખત શરતોની સાથે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. અપર મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદ દ્વારા તમામ કમિશ્નર અને જિલ્લાધિકારીઓને આ ગાઈડલાઈન મોકલી દેવામાં આવી છે. જાણી લો શું છે આ ખાસ ગાઈડલાઈનના નિયમો.
ડોક્ટરની સલાહ અનુસાર દર્દી હોમ ક્વૉરન્ટાઈન થઈ શકશે.
આઈસોલેશનને માટે ઘરમાં અલગથી જગ્યા હોવી જરૂરી છે.
કોરોના પોઝિટિવ દર્દીની દેખરેખ માટે એક વ્યક્તિનું રહેવું જરૂરી છે. તેને માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા અન્ય વ્યક્તિએ લેવાની રહેશે.
ઘરમાં રહેનારા અન્ય સભ્યોએ દર્દીથી દૂર રહેવું પડશે.
उत्तर प्रदेश में पिछले 24 घंटों में 1,924 COVID-19 मामले सामने आए और 46 मौतें हुईं, सक्रिय मामले 19,137 हो गए हैं और मरने वालों का आंकड़ा 1,192 है।अब तक कुल 30,831 मरीजों को छुट्टी दी गई है :राज्य स्वास्थ्य विभाग
પ્લસ ઓક્સીમીટર, થર્મોમીટર, માસ્ક, ગ્લવ્ઝ, સોડિયમ હાઈપોક્લોરાઈટ અને પ્રતિરોધક ક્ષમતા વધારનારી દવા દર્દીને અપાશે. આ સાથે કોરોનાન દર્દીએ એક ફોર્મ પણ ભરવાનું રહેશે.
કોરોનાની દેખરેખ કરનારી વ્યક્તિને ત્રણ સ્તરનું માસ્ક અને કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. પલ્સ ઓક્સીમીટરથી સતત ઓક્સીજન મપાશે. બ્લ્ડમાં ઓક્સીજનની ખામી હશે તો તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે.
આ કારણે લેવાયો નિર્ણય
દેશમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને કારણે હોસ્પિટલોને વધારે તકલીફ ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. જો કે મુખ્યમંત્રીએ નક્કી કર્યું છે કે રાજ્યની હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડની સુવિધા કરાઈ છે.