મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના રાહતનો પ્રથમ રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્યના 20 લાખ મજૂરો, વર્કર્સ અને ઇ-રિક્ષા ચાલકોને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
કોરોનાનો ભારતમાં કહેર
યોગી સરકારે ગરીબો માટે લીધો મોટો નિર્ણય
રાજ્યના 20 લાખ જરૂરીયાતમંદોને થશે ફાયદો
આ ઉપરાંત ગરીબોને રેશન આપવાનું હુકમનામું બહાર પાડવામાં આવ્યું છે. આ અગાઉ સીએમ યોગીએ કાલથી ત્રણ દિવસ તમામ જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી હતી.
27 માર્ચ સુધી રાજ્યના તમામ જિલ્લા લોકડાઉન
CM યોગી આદિત્યનાથે મંગળવારે એલાન કર્યું હતું કે, કોરોનાના મામલાઓ વધી રહ્યા છે. આવા સમયગાળામાં સમગ્ર પ્રદેશને લોકડાઉન કરવામાં આવેલ છે. આગામી 27 માર્ચ સુધી રાજ્યના તમામ જિલ્લા લોકડાઉન રહેશે અને માત્ર જરૂરી સામાન માટે જ દુકાનો ખુલી રહેશે. આ પહેલા સરકારે પહલા 15 અને પછી 2 જિલ્લામાં લોકડાઉનના આદેશ આપ્યા હતા.
25 રાજ્યોમાં કોરોના વાયરસનો કહેર ફેલાયો છે
કોરોનાથી ચેપના કેસ 523 પર પહોંચી ગયા છે. દેશના 25 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ મહામારીનો સામનો કરી રહ્યા છે. આજે મણિપુરથી કોરોનાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો લોક ડાઉનની સ્થિતિમાં પહોંચી ગયા છે. આ સિવાય મહારાષ્ટ્ર, પંજાબ અને ચંદીગઢમાં પણ કર્ફ્યુ છે.