લખીમપુરમાં થયેલી હિંસા મામલે સુપ્રિમ કોર્ટે યોગી સરકારને બરોબરની ઝાટકી છે. જેમા સુપ્રીમ કોર્ટે યોગી સરકારના વકીલને સીદો એવોજ સવાલ કર્યો છે કે જો આરોપી સામાન્ય હોત તો પણ તમે આવીજ કામગીરી કરતા ?
સુપ્રીમ કોર્ટે યોગી સરકારને બરાબરની ઝાટકી
લખીમપુરમાં થયેલી હિંસા મામલે યોગી સરકાર હવે વિવાદોમાં
પીએમ રિપોર્ટની રાહ ન જોવા માટે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું
લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં બીજા દિવસે પણ સુનાવણી થઈ રહબી છે. જેમા આજે સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવામાં આવી છે. સમગ્ર મામલે યુપી સરકારના વકીલે કહ્યું કે મુખ્ય આરોપીને કોર્ટમાં હાજર થવા નોટિસ આપવામાં આવી છે. સાથેજ એવું કહેવામાં આવ્યું કે તેને કાલ સવારમાં 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો તે હાજર નહી થાય તો કાયદો તેની કામ કરશે.
પુરાવા મળતા હત્યાનો કેસ દાખલ કરવામાં આવશે
આ મામલે કોર્ટમાં ચીફ જસ્ટિસ એન વી રમના દ્વારા હરીશ સાલ્વેને કહેવામાં આવ્યું કે આરોપીને અનુરોધ કરવાની શું જરૂર છે. જે મામલે વકીલે કગ્યું કે હજું ગોળીના પુરાવા નથી મલ્યા. તપાસ કરવામાં આવી રહી છે. જો સબૂત મળી જશે તો સીધો હત્યાનો કેસ દાખલ કરવામાં આવશે.
ગોળીથી મોત થઈ તેના કોઈ પુરાવા નથી મળી શક્યા
આ મામલે જીફ જસ્ટિસ રમનાએ યૂપી સરકારને ઝાટકતા કહ્યું કે શું આરોપી સામાન્ય માણસ રહેતો તો પણ શું આજ કાર્યવાહી તેની સામે કરવામાં આવતી. જજના પુછેલા સવાલ પર વકીલે ફરી એજ જવાબ આપ્યો કે હજું સુધી ગોળીથી મોત થઈ છે તે મામલે કોઈ પુષ્ટિ નથી થઈ શકી.
પીએમ રિપોર્ટની રાહ જોવાની કોઈ જરૂર નથી : સુપ્રિમ કોર્ટ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સીજેઆઈ રમના દ્વારા યોગી સરકારને કહેવામાં આવ્યું કે પીએમ રિપોર્ટની રાહ જોવાની કોઈ જરૂર નથી. ત્યારે વકીલ સાલ્વે દ્વારા કહેવામાં આવ્યું કે હું સમજી શકુ છું કે જજોના મનમાં શું છે. સાથેજ તેણે કહ્યું કે હુ માનું છું કે જરૂરી કામગીરી થવી જોીએ. ત્યારે સીજેઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા મનની કોઈ વાત નથી. પરંતુ આપણે લોકોને શું સંદેશ આપી રહ્યા છે. તેવો સીધો સવાલ વકીલ હરીશ સાલ્વે કરતા તેમણે કહ્યું કે કાલ સુધીમાં બદીજ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.