રાજધાની દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ સરકારના આ પગલાંની રોહિંગ્યા મુસ્લિમ સમુદાયને અસર થવાની સંભાવના છે.
રોહિંગ્યા કેમ્પ હટાવી રહી છે સરકાર
5.21 એકર જમીન પર ગેરકાયદે કબજો
ભવિષ્યમાં પણ લેવામાં આવશે આકરા પગલાં
રોહિંગ્યા કેમ્પ હટાવી રહી છે સરકાર
રાજધાની દિલ્હીનાં મદનપુર ખાદર વિસ્તારમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી હેઠળ ગેરકાનૂની દબાણો હટાવવામાં આવી રહ્યા છે. સિંચાઇ વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે રોહિંગ્યા કેમ્પ લગાવવામાં આવ્યા હતા જેને બુલડોઝરની મદદથી તોડવામાં આવી રહ્યા છે.
5.21 એકર જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાનો દાવો
સરકાર દ્વારા સવારે ચાર વાગ્યે કરવામાં આવેલી કામગીરીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આશરે 5.21 એકર જેટલી જમીન પર ગેરકાયદે કેમ્પ બનાવી દેવામાં આવ્યા છે. આ જમીનની અંદાજિત કિંમત 150 કરોડ રૂપિયા છે.
રાજ્યમાં દબાણો પર બુલડોઝર ફેરવી રહી છે સરકાર
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાજ્યમાં સતત ગેરકાયદે પચાવી પાડવામાં આવેલ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં આ કામગીરીએ જોર પકડયું છે. ઉત્તર પ્રદેશમાં સિંચાઇ વિભાગની જમીન ઘણાં વિસ્તારોમાં આવેલી છે જેમાં ઓખલા,જસોલા,આલી,સૈદાબદ,જેતપુર,મોલરવંદ અને ખુરેજી ખાસ વિસ્તારો છે.
ભવિષ્યમાં પણ લેવામાં આવશે આકરા પગલાં
ઉત્તર પ્રદેશ સરકારમાં જળશક્તિ મંત્રી મહેન્દ્ર સિંહ દ્વારા પણ આ કાર્યવાહીનો વિડીયો ટ્વિટ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ લખ્યું હતું કે, 'દિલ્લીમાં ફરી ચાલ્યું છે યોગીનું બુલડોઝર, યોગી સરકારની મોટી કાર્યવાહી' જાણકારી મળી છે કે આવનાર સમયમાં આ અભિયાન હેઠળ ત્વરાથી મોટા નિર્ણયો લેવામાં આવશે.
થોડા સમય પહેલાં જ લાગી હતી આગ
દિલ્હીનાં કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશન વિસ્તાર પાસે મોટી સંખ્યામાં રોહિંગ્યા રહેલા હતા જે ત્યાં બસ્તીઓ અને કેમ્પ બનાવીને રહેતાં હતા. હજુ થોડા સમય પહેલાં જ અહીં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ઘણાં કેમ્પ સળગી જતાં મોટુ નુકસાન થયું હતું.
માફિયાઓની જમીન પર સરકારની નજર
આ સિવાય સરકાર જમીન માફિયાઓની જમીન પર ટાંપીને નજર રાખી રહી છે. તાજેતરમાં સરકારે ઘણા માફિયાઓની જમીન કબજે કરી હતી. સાથે કેટલાક ગેરકાનૂની નિર્માણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. હાલમાં ઉત્તરપ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથ દ્વારા દાવો કરાયો હતો કે સરકાર આ પ્રકારે ગેરકાનૂની જમીન માફિયાઓની જમીન અને સંપતિ કબજે કરી ગરીબોમાં વહેંચવાનું કામ કરશે.