ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખતા તારીખ 1 જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થામાં 31 ટકાની જગ્યાએ 34 ટકા કરવાનો નિર્ણય લીધો છે.
યોગી સરકારનો મોટો નિર્ણય
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
1 જાન્યુઆરી 2022થી લાગૂ પડશે આ નિયમ
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખતા તારીખ 1 જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થામાં 31 ટકાની જગ્યાએ 34 ટકા કરવાનો નિર્ણય લીધો છે. તેનો અર્થ એવો થાય કે, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
યોગી સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્તામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, રાજ્ય સરકારે એક જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થામાં રાહત દર 31 ટકાની જગ્યાએ હવે 34 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ ઉત્તર પ્રદેશ રાજ્યના કર્મચારીઓને ઓગસ્ટથી 3 ટકાનો વધારો મળશે.
આપને જણાવી દઈએ કે, નાણા વિભાગના કર્મચારીઓ અને પેન્શનધારકોના વધેલા ડીએ અને ડીઆરની ચુકવણીની મંજૂરી માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને નાણામંત્રીના માધ્યમથી ફાઈલ મોકલવામાં આવી હતી. સરકારી કર્મચારીઓના ડીએ અને પેન્શનઘારકોના ડીઆરમાં વધારો જાન્યુઆરી અને જૂલાઈ મહિનાથી લાગૂ થાય છે.