23 લાખ શ્રમિકોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા રૂપિયા
કોરોના મહામારીમાં શ્રમિકોના હિતમાં લીધો નિર્ણય
ભરણ પોષણ ભથ્થા માટે આપવામાં આવ્યા રૂપિયા
ઉત્તરપ્રદેશના શ્રમિકોને બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી ભેટ આપી છે. તેમણે આપત્તિ રાહત યોજના હેઠળ પ્રદેશના 23 લાખ શ્રમિકોના ખાતામાં 1-1 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે. તે ઉપરાંત સીએમ યોગીએ અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે રજીસ્ટ્રેશન પોર્ટલની પણ શરૂઆત કરી છે.
શ્રમિકો માટે ઓનલાઈન પોર્ટલનો શુભારંભ
તમને જણાવી દઈએ કે કોરોનાના કારણે પ્રભાવિત થનાર દિહાડી મજૂરોને યોગી સરકારે 1 મહિના માટે એક હજાર રૂપિયા ભરણ પોષણ ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. સીએમ આવાસ પર સાવારે 11 વાગે સીએમ યોગીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્ય સહિત સુરક્ષા બોર્ડમાં અસંગઠિત ક્ષેત્રના મજૂરોને રજીસ્ટ્રેશન કરવા માટે WWW.upssb.in પોર્ટલનો શુભારંભ કર્યો. જ્યાં તેમણે બાંધકામ કરતા શ્રમિકો માટે 230 કરોડ ધનરાશિ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી.
ભરણ પોષણ ભથ્થા માટે આપ્યા રૂપિયા
કોરોના પર કાબુ મેળવવા માટે સરકારે આંશિક કોરોના કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કોરોના સંક્રમણની રફતાર પર લગામ લગાવવામાં સફળતા મળે. પરંતુ તેની અસર રોજે મજૂરી કરતા લોકો પર, લારી ગલ્લા વાળાઓ પર અને ફેરી દુકાનદારો પર પડી. જેના માટે સીએમ યોગી આદિત્યનાથી એવા લોકોને એક હજાર રૂપિયા ભરણ પોષણ ભથ્થા માટે આપવાનો નિર્ણય કર્યો છે.