જનસંખ્યા નિયંત્રણને લઈને યોગી સરકાર મોટુ પગલું ભરવા જઈ રહી છે. તે માટે અન્ય રાજ્યોના કાયદાઓનો અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું છે.
જનસંખ્યા નિયંત્રણ માટે યોગી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
અન્ય રાજ્યોઓના કાયદાઓનો અભ્યાસ શરૂ
બે કરતા વધારે બાળકોના વાલીઓના લાભમાં મુકાઈ શકે છે કાપ
યુપી સરકાર જનસંખ્યા નિયંત્રણ પર કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. જેમના 2થી વધારે બાળકો છે તેમની મુશ્કેલી વધી શકે છે. સરકાર લાંબા સમયથી તેના પર કામ કરી રહી છે. યુપી સરકાર રાજ્યમાં જનસંખ્યા નિયંત્રણ માટે કામ કરી રહી છે. રાજ્યએ આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર રાશન અને અન્ય સબ્લિજીમાં કાપ મુકવાની સાથે સાથે મુખ્ય પાસાઓ પર વિચાર કરવામાં આવશે.
વિવિધ રાજ્યનો અભ્યાસ કરશે યોગી સરકાર
યુપી સરકાર જનસંખ્યા નિયંત્રણ માટે બીજા રાજ્યોમાં લાગુ કાયદાઓનો પણ અભ્યાસ કરી રહી છે. સરકાર આ વાત પર ફોકસ કરી રહી છે કે તેમાંથી કયો નિયમ, કયા પ્રકારના પ્રતિબંધો તેમના રાજ્યમાં લાગુ કરવામાં આવી શકે છે. વિધિ આયોગ રાજસ્થાન, મધ્યપ્રદેશમાં લાગુ કાયદાઓનો અભ્યાસ કરી રહી છે.
બીજી પણ ઘણી સમસ્યા ઓછી થઈ શકે છે
આ આખા મામલા પર આખી રણનીતિ તૈયાર કરી આયોગ રાજ્ય સરકારને ડ્રાફ સોંપશે. સરકાર સંપૂર્ણ અરજી બાદ તેના પર કાયદો લઈને આવશે. વિધિ આયોગ જે મહત્વપૂર્ણ બિંદૂઓ પર વિચાર કરી રહ્યા છે તેમાં જાગરૂકતા સૌથી મુખ્ય છે. જનસંખ્યા નિયંત્રણ માટે કયા લોકોને જાગૃત કરવા જોઈએ. યુપી સરકાર આ પગલા દ્રાર એક સાથે ઘણી સમસ્યાઓ સામે લડવાની રણનીતિ બનાવી રહી છે. જો રાજ્યમાં જનસંખ્યા પર નિયંત્રણ રહેશો તો બેરોજગારી, ભૂખમરો જેવી સમસ્યાઓ પણ ઓછી થઈ શકશે.
વાલીઓની સુવિધામાં મુકાઈ શકે છે કાપ
સરકાર બેથી વધુ બાળકો વાળા વાલીઓની સુવિધામાં કાપ મુકી શકે છે. તેમને સરકારની તરફથી આપવામાં આવતી સબ્સિડી અને અન્ય સુવિધાઓમાં કાપ મુકવામાં આવી શકે છે.