ચૂંટણી પહેલા યોગી સરકારે લાખો ખેડૂતોને એક મોટી આપતા વીજળી બીલમાં 50 ટકાની બંપર છૂટ આપવાની જાહેરાત કરી છે.
ચૂંટણી પહેલા યોગી સરકારનો મોટો દાવ
ખેડૂતોને વીજળી બીલમાં 50 ટકા છૂટ આપવાની કરી જાહેરાત
યુપી સહિત 5 રાજ્યોમાં હવે ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની શક્યતા
યુપીમાં હવે ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન થવાનું છે પરંતુ તે પહેલા યોગી આદિત્યનાથ સરકારે ખેડૂતોને રિઝવવા માટે એક મોટી ભેટની જાહેરાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે ખેડૂતોની સુવિધા અને સમૃદ્ધિ જોતા બોરવેલ માટે વીજળીના દરમાં 50 ટકા છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં મીટર કનેક્શન પર યુનિટ દીઠ માત્ર રૂ.1 ચૂકવવા પડશે
સીએમ ઓફિસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવાયું કે ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. ગ્રામ્ય વિસ્તારોમાં મીટર કનેક્શન પર યુનિટ દીઠ રૂ.2ને બદલે યુનિટ દીઠ માત્ર રૂ.1 જ ચૂકવવા પડશે. 70 પ્રતિ હોર્સપાવર, હવે દર ઘટાડીને હોર્સપાવર દીઠ રૂ.35 કરવામાં આવ્યો છે. જોકે અગાઉ સીએમ યોગીએ ગુરુવારે તેમના સત્તાવાર નિવાસસ્થાને સ્વરોઝગર સંગમ કાર્યક્રમ હેઠળ 5,06,995 લાભાર્થીઓને 4,314 કરોડ રૂપિયાની લોન પણ વહેંચી હતી. પોતાની સરકારની સિદ્ધિઓ ગણતા સીએમ યોગીએ કહ્યું કે, "આજે અમે ત્રણ મહિના પહેલા જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે.
સીએમ યોગીએ મૈનપુરી સૈનિક સ્કૂલનું નામ બદલ્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે કહ્યું હતું કે, મૈનપુરીની સૈનિક સ્કૂલનું નામ દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું છે. યોગીએ આ માહિતી ટ્વીટ કરીને કહ્યું હતું કે, "દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતજી માતા ભારતીના અમર પુત્રને શ્રદ્ધાંજલિ આપતા જિલ્લા મૈનપુરી ખાતેની સૈનિક સ્કૂલનું નામ બદલીને 'જનરલ બિપિન રાવત સૈનિક સ્કૂલ' રાખવામાં આવ્યું છે.
યુપી સહિત પાંચ રાજ્યોમાં યોજાવાની છે વિધાનસભાની ચૂંટણી, ગમે ત્યારે તારીખોની જાહેરાત
યુપી, પંજાબ, ઉત્તરાખંડ, મણીપુર અને ત્રિપુરામાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી પંચ ગમે ત્યારે તારીખોની જાહેરાત કરી શકે છે તેથી ચૂંટણી પહેલા યોગી સરકારે મોટો દાવ ખેલ્યો છે.