બિહારમાં ભાજપ અને નીતીશ કુમારે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ બંને વચ્ચે જ કોઈ કન્ફયુઝન હોય તેવું દેખાઈ રહ્યું છે.
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી અને જનતા દળના નીતીશ કુમારના બે જુદા જુદા નિવેદન
ઘુષણખોરોને નીકાળીને બહાર કરી દેવાશે : યોગી આદિત્યનાથ
કોઈનામાં દમ નથી કે આપણા દેશમાંથી લોકોને બહાર કરે :નીતીશ કુમાર
બિહારમાં વિધાનસભાની ચૂંટણી મારે ત્રીજા ચરણનું મતદાન બાકી છે. એવામાં ચૂંટણીના આ છેલ્લા ચરણમાં ભાજપ અને જનતા દળના જ મોટા નેતાઓમાં મતભેદ સામે આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
બિહારમાં ભાજપ તરફથી યોગી આદિત્યનાથ ધૂમ પ્રચાર કરી રહ્યા છે અને તેમણે એક સભામાં ખુલીને કહ્યું કે બિહારમાંથી બાંગ્લાદેશી ઘુષણખોરોને દેશથી બહાર ફેંકી દેવામાં આવશે. જોકે હવે બિહારના હાલના સીએમ અને જનતાદળના નેતા નીતીશ કુમાર કહી રહ્યા છે કે કોઈનામાં એટલી તાકાત નથી કે અમારા લોકોને દેશથી બહાર ફેંકી શકે.
છેલ્લા ચરણના પ્રચાર માટે યોગી આદિત્યનાથ કટિહારમાં પહોંચ્યા અને જનસભાને સંબોધતા કરતા કહ્યું કે બિહારમાં ઘુષણખોરીની સમસ્યાને લઈને કટિહાર પણ ત્રસ્ત છે. બિહારમાં NDA સરકાર ઘુષણખોરોને નીકાળીને બહાર કરી દેશે. તમારા આશીર્વાદથી ઘુષણખોરીની સમસ્યાનું સમાધાન થશે .
નીતીશ કુમાર એવી જગ્યા પર ભાષણ કરી રહ્યા હતા ત્યાં મુસ્લિમ સમુદાયની સંખ્યા ખૂબ સારી છે, સંબોધનમાં નીતીશ કુમારે કહ્યું કે આ કોણ દુષ્પ્રચાર કરતો રહે છે, ખોટી વાતો કરતો રહે છે. કોણ કોને દેશથી બહાર કરી દેશે ? આ દેશમાં કોઈનામાં દમ નથી કે કોઈ અમારા લોકોને, આ હિન્દુસ્તાન છે અને બધા જ ભારતનાં છે, કોણ આમને બહાર કરશે સાહેબ ? આ બધા કેવી વાતો કરે છે ? અમે તો સમાજમાં પ્રેમ, ભાઈચારા અને સદભાવનાનો માહોલ પેદા કર્યો છે.