ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર તીખા પ્રહાર કરતા કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, કોંગ્રેસનો વિસર્જન થવું જોઈએ
યોગી આદિત્યનાથના કોંગ્રેસ પર તીખા પ્રહાર
"ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસનો વિસર્જન થવું જોઈએ"
"અયોધ્યામાં નિર્માણ પામી રહેલું રામ મંદિર રાષ્ટ્રમંદિર બનશે"
ગુજરત વિધાનસભા મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાયો છે. ત્રણય રાજકીયપક્ષોએ પ્રસારનો ધમધોકર શરૂ કરી દીધો છે. ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ એક દિવસમાં ત્રણ જનસભાને સંબોધવાના છે. જેમાં મોરબીમાં તેઓએ તેમના ભાષણમાં મોરબી દુર્ઘટનાને પણ યાદ કરી હતી. યોગી આદિત્યનાથે પુલ દુર્ઘટનામાં મુત્યુ માપેલા કોલોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી અને કહ્યું હતું કે, મોરબીની જનતા સાથે ભાજપ છે. યોગીએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કરતા કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, કોંગ્રેસનો વિસર્જન કરી દેવું જોઈએ.
યોગી આદિત્યનાથનું નિવેદન
યોગીને કહ્યું કે, ઉત્તર પ્રદેશનો રહેવાવાળું છું એટલે મા ગંગા અને યમુનાના આશીર્વાદ બની રહેશે. પરંતુ આજે ભગવાન શ્રી કૃષ્ણ, મહાત્માંગાંધી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદીની ધરતી પર મને આજ તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો છે. તેમણે કહ્યું કે, આજ બધી જગ્યા ગુજરાત મોડલની ચર્ચાઓ થાય છે, ભાજપ ગરીબ કલ્યાણનું મોડલ છે તેમજ ઈજ ઓફ લિવિંગનું મોડલ પૂરા દેશમાં આપ્યું છે જે આજ પૂરી દુનિયા જોઈ રહી છે. ગુજરાત મોડલે કોરોના દરમિયાન નવી રણનીતિ આપી છે ગરીબોને રાશન આપવાનું કામ કર્યું છે તેમજ નવી યોજના લાવી છે તેમણે કહ્યું કે, ગુજરાત જેવું ક્યાંય નહી થયું.
"દરેક સિટ પર કમળનું ફૂલ ખીલવું જોઈએ"
યોગી આદિત્યનાથે કહ્યું કે, ભાજપે કાશ્મીરમાં 370ની કલમ હટાવી છે. તેમણે કહ્યું કે, ગઈકાલે કોંગ્રેસની સભામાં રાષ્ટ્રગાનની જગ્યાએ ફિલ્મ ગીતો વાગી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ગુજરાતની દરેક સિટ પર કમળનું ફૂલ ખીલવું જોઈએ.
ઝઘડિયામાં યોગીના કોંગ્રેસ પર પ્રહાર
ઝઘડિયામાં ઉત્તર પ્રદેશનાના મુખ્યમંત્રી યોગીની જાહેરસભા યોજાઈ હતી જેમાં યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે, કોંગ્રેસે દેશને આતંકવાદ અને નક્સલવાદ જ આપ્યો હતો તેમણે કહ્યું કે, અયોધ્યામાં નિર્માણ પામી રહેલું રામ મંદિર રાષ્ટ્રમંદિર બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે
ઉલ્લેખનીય છે કે, 19થી 21 નવેમ્બર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રેલીઓ કરશે. તેઓ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી આ ત્રણ દિવસમાં 8 રેલીઓ અને સભાઓને સંબોધશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા તેમનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામોની સાથે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.