FOLLOW US
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ બીજીવાર સત્તાના સુત્રો 25 માર્ચે સંભાળશે. તેઓના નેતૃત્વમાં સતત બીજી વાર ભાજપા સરકાર રચશે. 25 માર્ચે લખનૌમાં શહીદ પદ સ્થિત ઇકાના સ્ટેડીયમમાં સમારોહ યોજાશે. કેટલાય સમીકરણો સાધતો આ શપથ ગ્રહણ સમારોહ ખાસ હશે. ભાજપાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજ્વનારા લાભાર્થીઓને પણ બોલાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપા અધ્યક્ષ જે પી નદ્ડા સહીત કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રી,સંઘ અને ભાજ્પનાં વરિષ્ઠ પદાધિકારીઓ શપથ ગ્રહણમાં શામેલ થશે. પ્રસાશને તેઓના સંભવિત શપથ ગ્રહની તૈયારીઓ શરુ કરી દીધી છે
યોગી મંત્રી મંડળના શપથ ગ્રહણ સમારોહમાં બસપા સુપ્રીમો માયાવતી,સપા સંરક્ષક મુલાયમ સિંહ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ,કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી,મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહીત વિપક્ષી દળોના નેતાઓને પણ આમંત્રિત કરાશે. સુચના વિભાગના અધિક સચિવ નવનીત સહેગલે જણાવ્યું કે, ઇકાના સ્ટેડીયમમાં શપથ ગ્રહણ સમારોહ થશે.
લાભાર્થીઓ પણ થશે શામેલ
યોગી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્ર અને પ્રદેશ સરકારની યોજનાઓનાં લાભાર્થીઓ ને પણ આમંત્રિત કર્યા છે. લખનૌ સહિતના આસપાસના જિલ્લાઓના લાભાર્થીઓને શપથ ગ્રહણ સમારોહમાં લાવવામાં આવશે. ખાસ કરીને મહિલા લાભાર્થીઓને શામેલ કરવામાં આવશે