લોકસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન વધતા નિવેદનબાજી પર ઈલેક્શન કમિશને લાલ આંખ કરી છે. જેમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓ પર આચાર સંહિતા ભંગ મામલે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે ચૂંટણી પંચે લગાવેલા પ્રતિબંધ બાદ યોગી આદિત્યનાથે નવો રસ્તો શોધી કાઢ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે યોગી આદિત્યનાથે હનુમાનજીના મંદિરમાં પૂજા કરી હનુમાન ચાલીસાના પાઠનું પઠન કર્યું. આમ ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ બાદ સીએમ યોગી આદિત્યનાથની પૂજા-અર્ચના ચાલું છે. આજે યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાતે પહોંચશે. અહીં યોગી આદિત્યનાથ દર્શન-પૂજા અર્ચન કર્યાં બાદ સંતો સાથે મુલાકાત કરશે.
અયોધ્યામાં યોગી આદિત્યનાથ રામલલાના દર્શન પણ કરશે. જો કે આજરોજ મહાવીર જંયતિનું શુભ મૂહુર્ત પણ છે. જો કે અયોધ્યાની આ મુલાકાત યોગી આદિત્યનાથનો અંગત પ્રવાસ બતાવામાં આવી રહ્યો છે. અયોધ્યાની મુલાકાત માત્ર દર્શન-પૂજા તેમજ સંતોના આશીર્વાદ લેવાના છે. યોગી આદિત્યનાથ પર ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધના કારણે રાજકીય કાર્યક્રમોથી દૂર રહેશે.
યોગી આદિત્યનાથે ગઇકાલે હનુમાન ચાલીસા પઢન કર્યું હતું. સીએમ યોગીએ હનુમાન સેતુ મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. જો કે અગાઉના કાર્યક્રમ મુજ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેવાના હતા પરંતુ ઉપસ્થિત રહી શક્યાં નહોતાં. આમ ચૂંટણી પંચે લગાવેલા પ્રતિબંધ બાદ યોગી આદિત્યનાથે નવો રસ્તો શોધી કાઢ્યો છે.