મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સંગઠનના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. સીએમ આવાસ પર થનારી મહત્વની બેઠક થશે. કાલે દિલ્હીમાં નવા મંત્રીમંડળનો ડ્રાફ્ટ તૈયાર થશે.
યુપીમાં યોગીની શાનદાર જીત
નવા મંત્રીમંડળની તૈયારીઓ
દિલ્હીમાંથી નક્કી થશે મંત્રીઓ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સંગઠનના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. સીએમ આવાસ પર થનારી મહત્વની બેઠક થશે. તેમાં પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મહામંત્રી સુનિલ બંસલ પણ હાજર રહેશે. તેમાં સરકાર ગઠન માટે આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. બેઠક બાદ સીએમે પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તા સાથે ભોજન કાર્યક્રમમાં શામેલ થશે, જો કે, ભોજન પહેલા સીએમ યોગીનું સંબોધન પણ થવાનું છે. બપોરે 12 કલાકે સંગઠનના પદાધિકારીઓ સાથે સીએમ આવાસ 5 કાલિદાસ માર્ગ પર મહત્વની બેઠક થવાની છે.
કાલે દિલ્હીમાં નક્કી થશે નવી સરકારની રૂપરેખા
રવિવારે સીએમ યોગી દિલ્હી આવી શકે છે. દિલ્હીમાં યુપીમાં નવી સરકારનના ગઠનને લઈને મહત્વની બેઠક થશે. કહેવાય છે કે, આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. દિલ્હીમાં થનારી બેઠકમાં પીએમ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે સમગ્ર યુપી કાર્યકારીણી હાજર રહેશે. આ બેઠકમાં જ મંત્રીમંડળના સભ્યોના નામ પર ચર્ચા થશે અને મોહર પણ લાગશે. કહેવાય છે કે, 15 માર્ચને લખનઉમાં શપથગ્રહણ કાર્યક્રમ થશે.
મંત્રીમંડળમાં નવા ચહેરાઓને મળશે સ્થાન
યોગી સરકાર નવા અવતારમાં 2.0માં કોણ કોણ ચહેરાઓ સામેલ થશે. તેને લઈને સતત સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે. પાર્ટી સૂત્રોએ દાવો કર્યો છે, કે, હાલમાં કોઈ પણ લેવલ પર ચર્ચા થઈ નથી. જો કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, નવી સરકારમાં અમુક નવા ચહેરાઓને મોકો મળશે. જો કે, મોટી સંખ્યામાં જીતીને આવેલી સરકારમાં અમુક મંત્રીઓને રિપીટ કરી શકે છે.