ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવ પર વળતો જવાબ આપ્યો છે.
યુપીમાં હાલ વિધાનસભા ચૂંટણીનું મતદાન
રાજકીય પાર્ટીઓ કરી રહ્યા છે કટાક્ષ
ડિંપલ યાદવના નિવેદન પર યોગીનો જવાબ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવ પર વળતો જવાબ આપ્યો છે. ડિંપલ યાદવે લોખંડમાં લાગેલા કાટને ભગવા રંગ સાથે જોડ્યો હતો. જો કે, તેમના આ નિવેદનને લઈને સીએમ યોગીએ સનાતન ધર્મ અને સંત સમાજનું અપમાન ગણાવ્યું હતું.
ડિંપલે કર્યું સતાતન ધર્મનું અપમાન
સીએમ યોગીએ એક ટ્વિટ કરીને કહ્યું કે, હું હું ભગવાધારી છું. ટ્વીટમાં ટૈગ કરવામાં આવેલા વીડિયોમાં સીએમ યોગી આદિત્યનાથે ડિંપલ યાદવના નિવેદનનો ઉલ્લેખ કર્યો કરતા કોઈનું પણ નામ લીધા વિના કહ્યું કે, એક વાત મને બહું ખટકી, આપે સપાના અમુક લોકોના નિવેદનો સાઁભળ્યા હશે, તે નિવેદન સૃષ્ટિનું પણ અપમાન છે. સનાતન ધર્મ અને સંત સમાજનું પણ અપમાન છે. ભગવાનને તેમણે કાટ સાથે જોડી દીધા. હું કહી શકું છું કે, હું ભગવાધારી છું.
તેમણે કહ્યું કે, દરેક ઉત્તર પ્રદેશવાસી કહેશે, અમે ભગવાધારી છીએ, એટલા માટે બોલશે કેમ કે ભગવો સૃષ્ટિની ઉર્જાનો રંગ છે. સૂર્યોદય જ્યારે થાય છે, ત્યારે ભગવાન સૂર્યનો રંગ પણ ભગવો જ હોય છે.
લોખંડમાં લાગતો કાટ ભગવો
અહીં ઉલ્લેખનીય છે કે, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની અને પૂર્વ સાંસદ ડિંપલ યાદવે ગત શુક્રવારે કૌશાંબી જિલ્લાના સિરાથૂ વિધાનસભા મત વિસ્તારમાંથી સપા ગઠબંધનના ઉમેદવાર પલ્લવી પટેલના સમર્થનમાં આયોજીત એક જાહેરસભામાં સંબોધન કરતા કહ્યું હતું કે, લોખંડમાં લાગેલો કાટ ભગવો હોય છે.
ડિંપલ યાદવે કહ્યું હતું કે, આ જે ડબલ એન્જીનની સરકાર છે, જ્યારે એન્જીનમાં કાટ લાગે છે, તો કાટનો રંગ કેવો હોય છે. મને લાગે છે કે, આપણા હાલના મુખ્યમંત્રી જે રંગના કપડા પહેરે છે, તે જ રંગનો હોય છે. આવા કાટવાળા એન્જીનને હટાવાનો સમય આવી ગયો છે.