ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન ખતમ થયા બાદ આજે ચૂંટણી પરિણામ આવી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેટલાય મિથક તોડી નાખશે અને એક નવો રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યા છે.
યુપીમાં ફરી એક વાર યોગીની સરકાર બનવા જઈ રહી છે
યોગી નવા રેકોર્ડ સ્થાપિત કરશે
આ મિથક તોડી નાખશે
ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન ખતમ થયા બાદ આજે ચૂંટણી પરિણામ આવી રહ્યા છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવાના અણસાર બતાવી રહ્યા હતા. જો કે, થોડી વારમાં જ હવે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે, યુપીમાં યોગી ઉપયોગી છે કે, પછી જનતા સાઈકલની સવારી કરવા માગે છે. ભારતીય જનતા પાર્ટી જો આ ચૂંટણી જીતી જશે તો, ફરી એક વાર યોગી આદિત્યનાથ જ મુખ્યમંત્રી બનશે. યોગી સીએમ બનતા જ તેમના નામે કેટલાય રેકોર્ડ સ્થાપિત થઈ જશે. આઝાદી બાદ ઉત્તર પ્રદેશમાં આવુ પહેલી વાર થશે, જ્યારે કોઈ મુખ્યમંત્રી પોતાના પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યા બાદ ફરી સત્તા પર આવશે.
45 વર્ષનો સૌથી મોટો રેકોર્ડ
ઉત્તરપ્રદેશમાં આ વખતે ભાજપે તમામ જૂનાં રેકોર્ડબ્રેક કરી દીધા છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 45 વર્ષમાં ભાજપને સૌથી વધુ મત, 45 ટકા જનમત સાથે ભાજપ સૌથી આગળ ચાલી રહ્યું છે. હવે ઘણુંખરું સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ યોગી સરકાર જ ઉત્તરપ્રદેશમાં ફરી આવશે. કારણ કે ભાજપ 250 કરતાં વધુ સીટો પર બહુમતી મેળવવા તરફ આગળ વધી રહ્યું છે.
જો યોગી જીતી જશે તો...
યુપીમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને યોગી આદિત્યનાથ સીએમની ખુરશી પર બેસશે, તો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરનારા ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનશે, જે ફરી એક વાર સત્તા પર બિરાજશે. સાથે જ યોગી મુખ્યમંત્રી બન્યા તો, 2007 બાદ પહેલીવાર એવુ બનશે, જે એક સીએમ રહેતા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
નોઈડાનું મિથક તોડી નાખશે
તેની સાથે સાથે યોગી આદિત્યનાથ જીતની સાથે એ પણ મિથક તોડી દેશે, જે પણ મુખ્યમનંત્રી નોઈડા આવે છે, તે ફરી સત્તામાં પાછા આવતા નથી. પણ સીએમ યોગીએ પાંચ વર્ષના કાર્યકાળમાં કેટલીય વાર નોઈડાનો પ્રવાસ કર્યો હતો, તેમણે આ મિથકને નજરઅંદાજ કરીને વિપક્ષ પર આકરાં પ્રહારો કર્યા હતાં.
નોઈડાનો પ્રવાસ કરનારા જીતી શકતા નથી
આ મિથકની શરૂઆત 1988માં થઈ હતી, જ્યારે સીએમ તરીકે બહાદુર સિંહ નોઈડા આવ્યા અને સંયોગ જોવો, તેમની ખુરશી જતી રહી, ત્યાર બાદ એનડી તિવારી સીએમ બન્યા અને 1989માં નોઈડા સેક્ટર 12માં નહેરુ પાર્કમાં ઉદ્ધાટન કરવા પહોંચ્યા અને તેમની પણ ખુરશી જતી રહી. બાદમાં કલ્યાણ સિંહ અને મુલાયમ સિંહની સાથે પણ એવું જ થયું. ત્યાર બાદ અંધવિશ્વાસ તો છાપરે ચડીને પોકારવા લાગ્યો. સીએમ તરીકે રાજનાથ સિંહ પણ નોઈડા જતા ડરવા લાગ્યા હતા. અને એક ફ્લાઈઓવરનું ઉદ્ધાટન કરવાની જગ્યાએ દિલ્હીમાંથી કર્યું હતું. બાદમાં 2007માં માયાવતી અને 2012માં અખિલેશે સત્તા સંભાળી અને સમગ્ર કાર્યકાળમાં નોઈડાથી અંતર બનાવી રાખ્યું હતું. જો કે, 2017માં યોગી સીએમ પદ પર આવ્યા અને એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર નોઈડા આવ્યા તથા પાંચ વર્ષનો કાર્યકાળ પુરો પણ કર્યો.