ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બંગાળમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા, માલ્દામાં એક રેલી સંબોધતા તેમણે કહ્યું હતું કે બંગાળમાં આજે જે અરાજકતાની સ્થિતિ છે તેનાથી સમગ્રા દેશ દુઃખી થાય છે.
ભાજપ અને ટીએમસી વચ્ચે ખેલાઈ રહ્યો છે મુખ્ય જંગ
બંગાળમાં આ વખતની ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા મમતા અને ભાજપ વચ્ચે છે
લોકસભામાં પહેલી વાર ભાજપે અહીં પ્રચંડ વિજય મેળવી હતી
યુપીના સીએમ અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે મંગળવારે માલ્દામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી અને કહ્યું હતું કે બંગાળમાં લોકોને જય શ્રી રામના નારા બોલવામાં પણ લોકોને રોકવામાં આવે છે, સાથે જ તેમના પ્રવચનમાં મમતા સરકાર તેમના નિશાના પર રહી હતી.
જલ્દીથી એક મહિનાની અંદર બંગાળમાં પરિવર્તન જોવા મળશે
યુપી સીએમએ તેમના ભાષણમાં બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસીના કાર્યકરોને ગુંડા કહીને કહ્યું હતું કે જલ્દીથી જ એક મહિનાની અંદર બંગાળની ધરતી પર પરિવર્તન જોવા મળશે, બંગાળમાં એક વૃદ્ધ માતાને ટીએમસીના ગુંડાઓ દ્વારા પીટવામાં આવી. પરંતુ સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. યોગી આદિત્યનાથે તેમના ભાષણમાં કહ્યું હતું કે 2 મે પછી ટીએમસીના ગુંડાઓ ગળામાં તખ્તી લગાડીને માફી માંગશે, અને પોતાના જીવનની ભીખ માંગતા ફરશે.
જે રામદ્રોહી છે તે કોઈ જ કામનો નથી
યુપી સીએમ આદિત્યનાથે વધુમાં કહ્યું હતું કે એક સમયે ભારતનું નેતૃત્વ કરવા વાળું બંગાળ આજે બદહાલ છે, બંગાળમાં સત્તા પ્રાયોજિત આતંકવાદ અને અપરાધ આજે દેશની સુરક્ષાની સામે મોટો પડકાર ઉભો કરી રહ્યું છે, ઈદ પર જબરદસ્તીથી ગો હત્યા કરાવવામાં આવે છે. ગોતસ્કરી કરીને લોકોની ભાવનાઓને નુકસાન પહોંચાડવામાં આવે છે.
અહીં લોકોને રામના નારા લગાવતા રોકવામાં આવે છે
યુપી સીએમએ કહ્યું હતું કે અહીં લોકોને ભગવાન રામના નારા લગાડતા રોકવામાં આવે છે. અયોધ્યામાં પણ એક સરકારે રામભક્તો પર ગોળી ચલાવવાનો હુકમ આપ્યો હતો, પણ પછી તેની હાલત બધાએ જોઈ છે, માટે જ જે રામનું દ્રોહી છે, તેનું બંગાળમાં પણ કોઈ કામ નથી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બંગાળમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા, માલ્દામાં એક રેલી સંબોધતા તેમણે કહ્યું હતું કે બંગાળમાં આજે જે અરાજકતાની સ્થિતિ છે તેનાથી સમગ્રા દેશ દુઃખી થાય છે.
યુપીના સીએમ અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે મંગળવારે માલ્દામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી અને કહ્યું હતું કે બંગાળમાં લોકોને જય શ્રી રામના નારા બોલવામાં પણ લોકોને રોકવામાં આવે છે, સાથે જ તેમના પ્રવચનમાં મમતા સરકાર તેમના નિશાના પર રહી હતી. યુપી સીએમએ તેમના ભાષણમાં બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસીના કાર્યકરોને ગુંડા કહીને કહ્યું હતું કે જલ્દીથી જ એક મહિનાની અંદર બંગાળની ધરતી પર પરિવર્તન જોવા મળશે, બંગાળમાં એક વૃદ્ધ માતાને ટીએમસીના ગુંડાઓ દ્વારા પીટવામાં આવી. પરંતુ સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. યોગી આદિત્યનાથે તેમના ભાષણમાં કહ્યું હતું કે 2 મે પછી ટીએમસીના ગુંડાઓ ગળામાં તખ્તી લગાડીને માફી માંગશે, અને પોતાના જીવનની ભીખ માંગતા ફરશે.
જે રામદ્રોહી છે તે કોઈ જ કામનો નથી
યુપી સીએમ આદિત્યનાથે વધુમાં કહ્યું હતું કે એક સમયે ભારતનું નેતૃત્વ કરવા વાળું બંગાળ આજે બદહાલ છે, બંગાળમાં સત્તા પ્રાયોજિત આતંકવાદ અને અપરાધ આજે દેશની સુરક્ષાની સામે મોટો પડકાર ઉભો કરી રહ્યું છે, ઈદ પર જબરદસ્તીથી ગો હત્યા કરાવવામાં આવે છે. ગોતસ્કરી કરીને લોકોની ભાવનાઓને નુકસાન પહોંચાડવામાં આવે છે.
યુપી સીએમએ કહ્યું હતું કે અહીં લોકોને ભગવાન રામના નારા લગાડતા રોકવામાં આવે છે. અયોધ્યામાં પણ એક સરકારે રામભક્તો પર ગોળી ચલાવવાનો હુકમ આપ્યો હતો, પણ પછી તેની હાલત બધાએ જોઈ છે, માટે જ જે રામનું દ્રોહી છે, તેનું બંગાળમાં પણ કોઈ કામ નથી. મહત્વનું છે કે માલદામાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર માલદાની સીટ પર અને આ ક્ષેત્રની વૈષ્ણોનગર વિધાનસભા સીટ પર ભાજપ જીત્યું હતું, માટે ભાજપ આ ક્ષેત્રમાં યોગી આદિત્યનાથની હાજરી દ્વારા તેની હાજરીને વધુ મજબૂત કરવા માંગે છે.