યોગી સરકારના શપથગ્રહણ સમારંભ બાદ અખિલેશ યાદવે ભાજપ પર આકરાં પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે. તેમણે શુભકામના તો આપી છે, સાથે આ વાત પણ કહી છે.
યોગી આદિત્યનાથે આજે લીધા શપથ
અખિલેશ યાદવે શુભકામના સાથે આ વાત કહી
ભાજપ સરકાર પર કર્યા પ્રહારો
યોગી સરકારના શપથગ્રહણ સમારંભ બાદ અખિલેશ યાદવે ભાજપ પર આકરાં પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે. તેમણે ટ્વિટ કરીને નવી સરકારને શુભકામના તો આપી છે, પણ સાથે સાથે કટાક્ષ પણ કર્યો છે. તેમણે લખ્યું છે કે, નવી સરકારને શુભકામના કે, તેઓ સપાએ બનાવેલા સ્ટેડિયમમાં શપથ લઈ રહી છે. શપથ ફક્ત સરકાર બનાવાની નહીં, પણ જનતાની સાચ્ચી સેવા પણ લેવી જોઈએ. આપને જણાવી દઈએ કે, યોગી આદિત્યનાથે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં શુક્રવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. યોગી સરકારમાં કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને ડેપ્યુટી સીએમ બનાવામાં આવ્યા છે.
नई सरकार को बधाई कि वो सपा के बनाए स्टेडियम में शपथ ले रही है। शपथ सिर्फ़ सरकार बनाने की नहीं, जनता की सच्ची सेवा की भी लेनी चाहिए।
આપને જણાવી દઈએ કે, સ્ટેડિયમનનું નિર્માણ અખિલેશ યાદવના કાર્યકાળમાં થયું હતું. બહારથી મુગલ આર્કિટેક્ચર વાળું અને અંદરથી રમતની તમામ સુવિધાથી ભરપૂર છે આ સ્ટેડિયમ. 2018માં યોગી સરકારે તેનું નામ બદલીને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહાર વાજપેયીના નામ પર કરી દીધું હતું. અહીં એક ટી 20 મેચનું આયોજન પણ થઈ ચુક્યું છે. આ સ્ટેડિયમની ક્ષમતા 50 હજારની આસપાસ હોવાનું કહેવાય છે. પણ ક્રિકેટનું આ સ્ટેડિયમ હવે યોગીના બીજા કાર્યકાળનું પણ સાક્ષી બની ગયું છે.
યોગી આદિત્યનાથ સહિત 52 મંત્રીઓના શપથ થયા હતા. જેમાં કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક ડેપ્યુટી સીએમ તરીકેના શપથ પણ લીધા હતા.