યુપીની ભવ્ય જીત બાદ યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યાં હતા અને તેમની સાથે સરકારની રચનાને લઈને ચર્ચા કરી.
યુપીની ભવ્ય જીત બાદ યોગી આવ્યાં દિલ્હી
પ્રધાનમંત્રી મોદીને મળ્યાં
યુપી સરકારની રચનાને લઈને કરી ચર્ચા
યુપીની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચ્યાં છે. દિલ્હી પહોંચ્યા બાદ યોગી આદિત્યનાથ પહેલા ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુને મળ્યાં હતા અને જીતની ચર્ચા કરી હતી.
आज @myogiadityanath जी से भेंट हुई। उन्हें उत्तर प्रदेश चुनाव में मिली ऐतिहासिक जीत की बधाई दी। बीते 5 वर्षों में उन्होंने जन-आकांक्षाओं को पूरा करने के लिए अथक परिश्रम किया है। मुझे पूर्ण विश्वास है कि आने वाले वर्षो में वे राज्य को विकास की और अधिक ऊंचाइयों पर ले जाएंगे। pic.twitter.com/TeRcIRFreA
ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુને મળ્યા બાદ યોગી આદિત્યનાથ સીધા પ્રધાનમંત્રી નિવાસસ્થાને પહોંચ્યાં હતા અને ત્યાં જઈને તેઓ પીએમને મળ્યાં હતા. સીએમ યોગી અને પીએમ વચ્ચે યુપી સરકારની રચનાને લઈને ચર્ચા થઈ હતી. આગામી 2-3 દિવસમાં યોગી સીએમ પદે શપથ લે તેવી સંભાવના છે.
Uttar Pradesh-designate CM and BJP leader Yogi Adityanath met party's president JP Nadda at the latter's residence in Delhi pic.twitter.com/uSuXNq1nVi
પીએમ મળ્યા બાદ યોગી ભાજપ અધ્યક્ષ નડ્ડાને મળ્યાં
પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ યોગી ભાજપ અધ્યક્ષ નડ્ડાને પણ મળ્યાં હતા તેમની વચ્ચે પણ સરકારની રચનાને લઈને ચર્ચા થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.
પીએમ મોદીએ યોજી કેબિનેટ કમિટીની બેઠક
સિક્યુરીટી પરની કેબિનેટ કમિટીની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ સરહદીય, હવાઈ અને દરિયાઈ વિસ્તારોમાં ભારતની સુરક્ષા તૈયારીની સ્થિતિની સમિક્ષા કરી હતી. બેઠકમાં હાજર રહેલા અધિકારીઓને પ્રધાનમંત્રીએ સ્પસ્ટ આદેશ આપ્યો કે ડિફેન્સ સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર કરવા માટે તમામ પ્રયાસો કરવા જ પડશે જેથી કરીને આપણી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બને તેની સાથે સાથે આર્થિક વિકાસમાં વધારો થાય.
ડિફેન્સ સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવો-અધિકારીઓને આદેશ
પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને આદેશ આપ્યા કે ડિફેન્સ સેક્ટરમાં ભારતના આત્મનિર્ભર બનાવવા બધુ કરી છૂટો.