લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સીએમ યોગી એક વાર ફરી ખેડૂતોનું દેવુ માફ કરી શકે છે. જેને લઈને ઉત્તર પ્રદેશ સરકાર જિલ્લા સ્તરે સર્વે પણ કરી રહી છે. આ સર્વેમાં હેતુ એવો છે કે અગાઉ જે ખેડૂતોને દેવામાફીનો લાભ નહોતો મળ્યો તેમની યાદી પણ તૈયાર કરવી. યૂપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સરકારે ખેડૂતોના દેવામાફીનો વાયદો કર્યો હતો.
ચૂંટણી જીત્યા બાદ ભાજપ સરકારે ખેડૂતોનું દેવુ પણ માફ કર્યુ હતું. પરંતુ રિપોર્ટ મુજબ એ સમયે અનેક ખેડૂતોને આંશિક જ દેવું માફ થયુ હતું. ટેકનિકલ ખામીના પગલે અનેક ખેડૂતો દેવામાફીમાંથી બાકાત રહ્યા હતા. જેથી યોગી સરકાર આવા ખેડૂતોની ઓળખ કરી રહી છે અને લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને રીઝવવા પ્રયાસ કરી રહી છે.