UP ના CM ના યોગી આદિત્યનાથને તમે બધા જાણતા હશો. તેઓ ગોરખપુરના પ્રસિદ્ધ ગોરખનાથ મંદિરના મહંત હોવાની સાથે સાથે રાજનેતા પણ છે. તો ચલો જાણીએ ગોરખપુર મંદિરથી જોડાયેલી ખાસ અને રસપ્રદ વાતો.
ગોરખનાથ મંદિર, ઉત્તર પ્રદેશના ગોરખપુર નગરમાં આવેલું છે. કહેવામાં આવે છે કે બાબા ગોરખનાથના નામ પર જ આ જિલ્લાનું નામ ગોરખપુર પડ્યું છે. આ મંદિરના વર્તમાન મહંત બાબા યોગી આદિત્યનાથ છે. અહીંયા ઉત્તરાયણના તહેવારે વિશાળ મેળો યોજાય છે જેને 'ખિચડી મેળા'ના નામથી ઓળખવામાં આવે છે.
અહીંની લોકમાન્યતા અનુસાર ગોરખપુરના ગોરખપુરના ગોરક્ષનાથ મંદિરમાં સતત થનારી યોગ સાધનાનો ક્રમ પ્રાચીન સમયથી ચાલતો આવી રહ્યો છે. પૌરાણિક કથાઓના જ્વાળાદેવીના સ્થાનથી પરિભ્રમણ કરતા ગૌરક્ષનાથ જી એ આવીને ભગવતી રાપ્તીના કિનારાના ક્ષેત્રમાં તપસ્યા કરી હતી અને એ સ્થાન પર એમની દિવ્ય સમાધિ લગાવવામાં આવી હતી, જ્યાં આજના સમયમાં ગોરખનાથ મંદિર સ્થાપિત છે.
મંદિર લગભગ 52 એકડના ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ મંદિરનું રૂપ અને આકાર પ્રકાર પરિસ્થિતિઓ અનુસાર સમયાંતરે બદલાતું રહ્યું છે એની ભવ્યતા અને પવિત્રતા ખૂબ જ કિંમતી છે.
કહેવામાં આવે છે કે મુસ્લિમ શાસન કાળમાં હિંદુઓ અને બૌદ્ધોના અન્ય સાંસ્કૃતિક કેન્દ્રોની જેમ એને પણ ઘણી વખત મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. એની પ્રસિદ્ધિના કારણે જ શત્રુઓનું ધ્યાન એની તરફ ગયું. ચૌદમી સદીમાં ભારતના મુસ્લિમ સમ્રાટ અલાઉદ્દીન ખિલજીએ શાસનકાળમાં આ મઠનો નાશ કર્યો હતો અને સાઝક યોગી બળપૂર્વક નિષ્કાસિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મઠનું પુનનિર્માણ કરવામાં આવ્યું હતું.