યોગી આદિત્યનાથ સરકારની સત્તામાં ફરી એક વાર વાપસી થઈ છે. જે બાદ રાજ્યમાં માહોલ બદલાઈ ચુક્યો છે.
ફરી એક વાર યુપીમાં યોગી સરકાર
યોગી સરકારની વાપસીથી ગુંડાઓમાં ભય
કરી રહ્યા છે સરેન્ડર
યોગી આદિત્યનાથ સરકારની સત્તામાં ફરી એક વાર વાપસી થઈ છે. જે બાદ રાજ્યમાં માહોલ બદલાઈ ચુક્યો છે. 10 માર્ચે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી શાનદાર જીત બાદ અત્યાર સુધીમાં 50થી વધારે ગુનેગારોએ સરેંડર કરી દીધું છે. આ અપરાધીઓને ડર હતો કે, ક્યાંક તેમનું એન્કાઉંટર ન થઈ જાય અથવા તો બુલડોઝરથી ઘર પાડી દેવામાં ન આવે.
યોગી સરકારની વાપસી બાદ ગુંડા તત્વોમાં ભયનો માહોલ
એટલુ જ નહીં ગુનેગારોએ તો ગળામાં કાર્ડ લટકાવીને રાખ્યા હતા. જેમાં લખેલું હતું કે, હું સરેન્ડર કરુ છું. મહેરબાની કરીને ગોળી ચલાવતા નહીં. રાજ્યમાં પોલીસ સ્ટેશનોમાં કેટલાય ગુંડાઓએ ખૌફમાં આવીને સરેન્ડર કરવા લાગ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, યોગી સરકારની વાપસીના કારણે ગુંડા તત્ત્વોમાં ડર પેસી ગયો છે.
50 ગુંડાઓએ સરેન્ડર કરી દીધું
એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે, આ 50 ગુનેગારો એ ન ફક્ત સરેન્ડર કર્યું છે, પણ ગુનાની દુનિયા છોડવાની પણ વાત કહી છે. આ 15 દિવસમાં બે ગુંડાઓ પર એન્કાઉંટર થયા છે. ઉપરાંત 10 ગુંડાની ધરપકડ પણ કરવામા આવી છે. કુમારે કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે માઈક્રો પ્લાનિંગ થઈ રહ્યું છે. રાજ્યમાં દરેક ભાગમાં અલગ પ્લાનિંગની તૈયારીઓ ચાલી રહી છે. જેથી ઝીરો ટોલરેંસની નીતિ આગળ વધારી શકાય. સાથે જ માફિયાઓ પર ગાળીઓ કસવામાં આવી રહ્યો છે અને વિજિલેંસ પણ વધારવામાં આવ્યું છે. 112 પેટ્રોલિંગને પણ મજબૂતી આપવામા આવી રહી છે.
2017 બાદ કોઈ રમખાણો થયાં નથી
તેમણે કહ્યું કે, રાજ્યમાં 2017માં બાજ અત્યાર સુધીમાં કોઈ મોટુ રમખાણો કે દંગા થયા નથી. યોગી સરકારની વાપસી બાદ સૌથી પહેલા ગૌતમ સિંહે સરેન્ડર કર્યું હતું. જે પર અપહરણ અને લૂંટના કેસો હતા. અત્યાર સુધીમાં 23 ગુનેગારોએ તો સરેન્ડર કરી દીધું છે. આ લોકો હવે કહી રહ્યા છે કે, તેઓ કોઈ ગુના નહીં કરે. તો વળી સહારનપુરમાં દેવબંધમાં દારૂની હેરફેર કરતા 4 ગુનેગારોએ પણ સરેન્ડર કર્યું છે. આ લોકોએ તો લેખિતમાં લખી આપ્યું છે કે, તેઓ કોઈ પણ પ્રકારના ગુના કરશે નહીં અને સુધરી જશે.