ઉત્તર પ્રદેશમાં 25 માર્ચે યોગી સરકારનો શપથ ગ્રહણ થવાનું છે. પણ આ પહેલા સોમવારેથી મંગળવારની વચ્ચે 24 કલાકમાં ત્રણ મોટા રાજીનામા પડ્યા છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીમાં ભાજપની જીત
યોગી, અખિલેશ અને આઝમ ખાને આપ્યું રાજીનામું
24 કલાકમાં ત્રણ મોટા નેતાના રાજીનામા પડ્યા
ઉત્તર પ્રદેશમાં 25 માર્ચે યોગી સરકારનો શપથ ગ્રહણ થવાનું છે. પણ આ પહેલા સોમવારેથી મંગળવારની વચ્ચે 24 કલાકમાં ત્રણ મોટા રાજીનામા પડ્યા છે. આ રાજીનામા યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ અને આઝમ ખાને આપ્યા છે. યોગી આદિત્યનાથ વિધાન પરિષદની સભ્યપદેથી રાજીનામું આપ્યું છે, તો વળી અખિલેશ, યાદવ અને આઝમ ખાને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તો આવો જાણીએ આ રાજીનામા પાછળ ક્યા મોટા કારણો જવાબદાર છે.
યોગી આદિત્યનાથે એમએલસી પદેથી આપ્યું રાજીનામું
ઉત્તર પ્રદેશમાં કાર્યવાહક સીએમ યોગી આદિત્યનાથે સોમવારે સાંજે વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ વખતે ગોરખપુર શહેરી સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હકીકતમાં 2017 વિધાનસભા ચૂંટણી બાદ યોગી આદિત્યનાથે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારે તેઓ ગોરખપુરથી સાંસદ હતા. આવા સમયે તેમને સાંસદ પદેથી રાજીનામું આપવું પડ્યું અને 8 સપ્ટેમ્બર 2017ના રોજ બિનહરીફ વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે એમએલસી રહેતા સીએમ પદનો કાર્યકાળ પુરો કર્યો હતો.
જો કે, આ વખતે ભાજપે યોગી આદિત્યનાથને ચૂંટણી લડાવાનો નિર્ણય કર્યો, યોગી ગોરખપુર શહેરી સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. યોગીએ આ સીટ પરથી સુભાવતી શુક્લાને 1 લાખથી પણ વધારે વોટથી હરાવ્યા હતા. ત્યારે આવા સમયે તે ધારાસભ્ય છે અને તેમને એમએલસી પદેથી રાજીનામું આપ્યું છે.
અખિલેશ યાદવે લોકસભામાંથી આપ્યું આપ્યું રાજીનામું
સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આ વખતે વિધાનસભા ચૂંટણી કરહલ સીટ પરથી લડ્યા હતા. તેમણએ આ સીટ પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી એસપી બધેલને માત આપી હતી. જો કે, અખિલેશ યાદવ આઝમ ગઢના હાલના સાંસદ પણ છે. ત્યારે આવા સમયે એક સદનમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. લોકસભામાં સપાની 5 સીટ છે. ત્યારે આવા સમયે માનવામા આવી રહ્યું હતું કે, તે કરહલ સીટ પરથી રાજીનામું આપશે અને લોકસભાના સભ્ય રહેશે. પણ અખિલેશ યાદવે લોકસભામાંથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. જાણકારોનું માનીએ તો, અખિલેશ યાદવ 2027ની વિધાનસભઆ ચૂંટણી પર ફોકસ કરી રહયા છે તેથી ધારાસભ્ય રહીને રાજ્યની રાજનીતિ પર ધ્યાન આપવા માગે છે. તેથી મોકો મળતા જ યોગી સરકારને ઘેરી શકાય અને મજબૂત વિપક્ષ તરીકે પાર્ટીનું નેતૃત્વ કરી શકાય.
આઝમ ખાને આપ્યું રાજીનામું
સપા નેતા આઝમ ખાને પણ અખિલેશ યાદવની સાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ રામપુરથી લોકસભાના સાંસદ હતા. જો કે, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં રામપુર વિધાનસભા સીટ પરથી ઉતર્યા હતા. આ સીટ પરથી ફરી વાર તેઓ જીત્યા છે. જો કે, આઝમ ખાને વિધાનસભામાં રહેવાનો નિર્ણય કર્યો છે. તેથી તેમણે લોકસભામાંથી રાજીનામું આપી દીધું છે. અખિલેશ યાદવ અને આઝમ ખાને લોકસભામાંથી રાજીનામા આપ્યા બાદ બંને સીટો ખાલી થઈ છે. 2024 લોકસભા ચૂંટણીમાં ઘણો સમય છે. ત્યારે આવા સમયે ચૂંટણી પંચ આ સીટો પર પેટાચૂંટણીની જાહેરાત કરી શકે છે.