જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના અત્યાર સુધી 37 જવાન શહીદ થઇ ચૂક્યા છે અને ઘણા ઘાયલ થયા છે. દેશની શાન અને માન માટે પોતાનો જીવ ન્યોછાવર કરનાર 37 શહીદ જવાનોમાંથી 12 ઉત્તર પ્રદેશના લાલ છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિતિયનાથે શહીદોના પ્રતિ પરિવારને 25 25 લાખ રૂરિયાની આર્થિક મદદ અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત જવાનોના પૈતૃકગામના સંપર્ક માર્ગના નામ એમના નામે રાખવાની વાત કરવામાં આવી છે.
યોગી સરકારે નિર્ણય લીધો છે કે પુલવામામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કાર પૂરા રાજકી. સમ્માનની સાથે કરવામાં આવશે જેમાં પ્રદેશ સરકારના એખ મંત્રી ડીએમ અને એસપી રાજ્ય સરકારના પ્રતિનિધિના રૂપમાં મોજૂદ રહેશે.
પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સૌથી વધારે શહીદ ઉત્તર પ્રદેશના સપૂત થયા છે. ઉત્તર પ્રદેશના પ્રધાન સચિવ ગૃહ અરવિંદ કુમારે સૂબાના 12 શહીદોના આંકડાની પુષ્ટિ કરી છે.
પુલવામામાં શહીદ હોવાની સૂચના જેવી સૂબેના જવાનોના ઘર સુધી પહોંચી. એમના ગામમાં હંગામો મચી ગયો. સૂબેના લોકોમાં આતંકીઓની આ કાયર હરકતને લઇને ખૂબ જ આક્રોશ નજરે પડી રહ્યો છે.