ઉત્તર પ્રદેશમાં ફરીવાર ભગવો લહેરાવા જઈ રહ્યો છે, ત્યારે કેન્દ્રમાં પણ હવે યોગી આદિત્યનાથને મોટી જવાબદારી મળી શકે છે.
ઉત્તર પ્રદેશમાં ફરી યોગીરાજ
કેન્દ્રમાં મળી શકે છે મોટી જવાબદારી
ટૂંક સમયમાં સંસદીય બોર્ડના સભ્ય તરીકે મળી શકે જવાબદારી
મળતી વિગતો પ્રમાણે, યોગી આદિત્યનાથને સંસદીય બોર્ડના મેમ્બર બનાવવામાં આવી શકે છે. હોળીની આસપાસ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સંસદીય બોર્ડની પૂર્નરચના કરી શકે છે, જેમાં યોગી આદિત્યનાથને બોર્ડમાં સામેલ કરવામાં આવી શકે છે.
જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક સમયગાળાથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વર્ચસ્વ વધી રહ્યું છે. ત્યારે સત્તાવાર રીતે બોર્ડના સભ્ય તરીકે તેમના નામની જાહેરાત 18-20 માર્ચ દરમિયાન થઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં ફરી યોગી સરકાર નક્કી
યુપીમાં ફરી એકવાર યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીનો જાદુ કામ કરતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે યુપીમાં ભાજપને બહુમતી મળતી દેખાઈ રહી છે. અત્યાર સુધી 403માંથી 399 સીટો પર આવેલા ટ્રેન્ડ મુજબ ભાજપ 274 સીટો પર આગળ છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. તે જ સમયે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના દરેક પ્રયાસ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. કોંગ્રેસનું પ્રદર્શન ફરી એકવાર ખૂબ જ નિરાશાજનક રહ્યું છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભા 2022ની ચૂંટણીના પરિણામોમાં બીજેપીની સરકાર બનતી જોવા મળી રહી છે. શરુઆતી રુઝાનોમાં બીજેપીએ બહુમતીનો જાદુઇ આંકડો પાર કરી લીધો છે. આ તરફ કાંટેની ટક્કર આપનાર સપા હજી 3 આકંડા સુધી પણ પહોંચી શક્યુ નથી. ચૂંટણીના આ શરુઆતી પરિણામો જ જણાવી રહ્યા છે કે યોગી આદિત્યનાથ સામે નોઇડા વાળી માન્યતા પણ તૂટતી જણાઇ.
હું આ માન્યતા તોડીને રહીશ- યોગી આદિત્યનાથ
એવુ માનવામાં આવે છે કે જે પણ સીએમ નોઇડા આવે છે તેઓનો ખુરશી મળતી નથી એટલે કે સત્તા મળતી નથી. એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં સીએમ યોગી આદિત્યનાથે આ માન્યતાને તોડવાની વાત કહી હતી. તેમણે જણાવ્યું કે જે યુપીમાં 1985થી ચાલી આવે છે તેને હું તોડીને જ રહીશ અને ફરીથી કમબેક કરીશ. મહત્વનું છે કે છેલ્લા 37 વર્ષથી ઉત્તર પ્રદેશમાં કોઈ નેતા સતત બે ટર્મ સુધી સીએમ પદ સંભાળી શક્યા નથી.
નોઈડાની વાળી માન્યતા તૂટી
ત્રણ દાયકાથી રાજકારણના સૌથી મોટા રાજ્યમાં અન્ય એક માન્યતા રહી છે. એટલે કે જે પણ સીએમ નોઈડામાં આવે છે તેની ખુરશી જતી રહે છે. તે ફરી સત્તાની સીટ પર બેસી શકતા આવી માન્યતા યુપીમાં 1988 થી યથાવત છે. ત્યારે તત્કાલીન સીએમ વીર બહાદુર સિંહ પ્રથમ વખત નોઈડા આવ્યા હતા અને આગામી ચૂંટણી હારી ગયા હતા. તેમના પછી, નારાયણ દત્ત તિવારી સીએમ બન્યા અને 1989 માં નોઈડાના સેક્ટર 12 માં નેહરુ પાર્કનું ઉદ્ઘાટન કર્યું. થોડીવાર પછી તિવારીની ખુરશી જતી રહી હતી.
નોઇડા આવતા ડરી રહ્યા હતા મંત્રીઓ
આ માન્યતાએ મંત્રીઓમાં એવો ડર પેદા કર્યો હતો કે તેઓ નોઇડા જતા પહેલા વિચાર કરતા. વર્ષ 2000માં એક ઘટના બની હતી જે આ વાતની પુષ્ટિ કરે છે. વાત એમ હતી કે તે સમયે રાજનાથ સિંહ યુપીના સીએમ હતા. તેઓ ડીએનડી ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવા માંગતા હતા, પરંતુ નોઈડા આવવા માંગતા ન હતા. તેમણે નોઈડાને બદલે દિલ્હીથી ઉદ્ઘાટન કર્યું હતું. જો કે તેઓ નોઈડા આવ્યા ન હતા, પછી તેમની ખુરશી રહી ન હતી.
માયાવતી પણ હારી ગયા ચૂંટણી
વર્ષ 2011માં માયાવતીએ નોઈડા આવવાની હિંમત કરી અને 2012ની ચૂંટણીમાં તેઓ હારી ગયા. તે જ સમયે, સીએમ બન્યા પછી, યોગી આદિત્યનાથ પણ થોડો સમય નોઇડાથી દૂર રહ્યા હતા, પરંતુ તેઓ કાલકાજી મેટ્રો લાઇનના ઉદ્ઘાટન પ્રસંગે નોઇડા આવ્યા હતા.