ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં મંત્રી ઓમપ્રકાશ રાજભરને બરખાસ્ત કરવામાં આવ્યા છે. યોગી સરકારના મંત્રી મંડળે રાજભરને બરખાસ્ત કરવા માટે ભલામણ કરતા સીએમ યોગી આદિત્યનાથે પણ રાજ્યપાલને ભલામણ કરી હતી. જે બાદ ઓમપ્રકાશ રાજભરને બરખાસ્ત કરવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથે રાજ્યપાલને ભલામણ કરી હતી કે રાજભરને બરખાસ્ત કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, રાજભર યોગી સરકારમાં મંત્રી હતા, માનવામાં આવતું હતું કે તેઓ પોતે રાજીનામુ આપશે નહીં. રાજભરે આ નિર્ણયને પણ આવકાર્યો હતો. મહત્વનું છે કે ઓમપ્રકાશ રાજભરને પોતાનું જ નિવેદન ભારે પડ્યું છે. રાજભરે પાસે પછાત વર્ગ કલ્યાણ અને વિકલાંગ જન વિકાસ મંત્રાલય હતું. સીએમ યોગી આદિત્યનાથના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ઓપી રાજભરે કહ્યું, 'આ ગરીબોની અવાજ ઉઠાવવાની સજા મળી છે. જો હક માંગવો એ બગાવત છે તો હા, હું બાગી છું.'
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશમાં ભાજપની સહયોગી પાર્ટી છે. અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેણે ચાર સીટો જીતી હતી. પરંતુ લોકસભા ચૂંટણી રાજભરની પાર્ટીએ ભાજપથી અલગ થઇને લડી હતી. રાજભરની પાર્ટીએ ખુદ 39 ઉમેદવાર ચૂંટણીમાં ઉતાર્યા હતા.
UP CM Office says "CM has requested Governor to dismiss Suheldev Bhartiya Samaj Party chief OM Prakash Rajbhar from UP cabinet with immediate effect." Rajbhar, a minister for backward class welfare&'divyangjan' empowerment, had earlier resigned from cabinet but it wasn't accepted pic.twitter.com/22BJ7D41N5
જ્યારે કેટલીક સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ પ્રચાર પણ કર્યો હતો. રાજભરના પુત્ર સુભાસપા મહાસચિવ અરૂણ રાજભરે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપા સાથે વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન હતું ન લોકસભા ચૂંટણી માટે.
આપને જણાવીએ કે લોકસભા દરમિયાન રાજભર ભાજપ વિરુદ્ધ સતત હુમલો કરી રહ્યા હતા. એમણે સીએમ યોગી પર નિશાન સાધ્યું હતું. હાલમાં જ ઓમ પ્રકાશ રાજભરે કહ્યું હતું કે પૂર્વાંચલની 30 સીટોમાંથી ભાજપ કેવળ ત્રણ સીટો જીતી શકી છે. રાજભરે એક ચૂંટણી સભામાં દાવો કર્યો હતો કે ભવિષ્યમાં કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના સહયોગથી કોઇપણ પાર્ટીની સરકાર બનશે.